પ્રધાનમંત્રી મોદીએ બીમાર લાલુપ્રસાદ યાદવની તબિયતના ખબરઅંતર પૂછ્યા હતા અને આ માટે તેમણે લાલુના પુત્ર તેજસ્વી યાદવને ફોન કર્યો હતો.
આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ ગંભીર રીતે બીમાર
પીએમ મોદીએ લાલુના પુત્ર તેજસ્વી યાદવને કર્યો ફોન
લાલુની તબિયતના ખબર અંતર પૂછ્યા
લાલુ ઝડપથી સાજા થાય તેવું તેજસ્વીને કહ્યું
બિહારની વિપક્ષી પાર્ટી આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવની સ્થિતિ ઘણી ગંભીર છે. પગથિયાં પરથી લપસી પડ્યાં બાદ તેઓ છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. પીએમ મોદીએ પણ તેમની તબિયતની પૃચ્છા કરી હતી. પીએમ મોદીએ મંગળવારે સાંજે
લાલુના પુત્ર તેજસ્વી યાદવને ફોન કરીને લાલુ પ્રસાદની તબિયત વિશે પૂછપરછ કરી છે. પીએમએ લાલુ પ્રસાદને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
3 જુલાઈએ ઘરમાં પગથિયાં પરથી લપસી પડ્યાં હતા
3 જુલાઈની સાંજે લાલુ પ્રસાદ યાદવ સીડી પરથી પડી ગયા છે. તેમને ખભા અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે. તેમના ખભાના હાડકામાં હેરલાઇન ફ્રેક્ચર થયું છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
લાલુની દીકરીએ લખી ભાવુક પોસ્ટ
લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પિતા લાલુપ્રસાદની કેટલીક તસવીરો શેર કરીને ભાવુક પોસ્ટ લખી હતી અને ભગવાન તેમને જલદીથી સાજા કરે તેવી પ્રાર્થના કરી હતી. ફોટા શેર કરતા લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્યએ લખ્યું છે કે, પાપા તેમના માટે હીરો જેવા છે, જેમની ઝડપથી રિકવરી થાય તેવી તેમની ઈચ્છા છે.
લાલુની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે
ડોક્ટરોએ જણાવ્યું કે, લાલુ પ્રસાદ યાદવની આજે સવારે ડોક્ટરોની પેનલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમની તબિયત સ્થિર છે અને તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમને આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.