ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે તેમની બે દિવસીય મુલાકાતે ભારત આવ્યા હતા. પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પહેલા મંદિરોની મુલાકાત લીધી અને પછી તેમને પેઈન્ટિંગ અને લેમ્પની ભેટ આપી.
ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગ 2 દિવસના ભારત પ્રવાસે
PM મોદીએ ગિફ્ટમાં આપ્યું તંજાવુરનું પેઇન્ટિંગ
આ ઉપરાંત આપ્યો નચિયારકોઈલ- બ્રાંચ અન્નમ લેમ્પ ગિફ્ટમાં
આ ખાસ પેઇન્ટિંગ બનાવવામાં લાગ્યો હતો 45 દિવસનો સમય
6 ફૂટ ઉંચાઈ, 108 કિલોગ્રામ વજનનો છે આ પિત્તળથી બનેલો લેમ્પ
પીએમ મોદીએ શી જિનપિંગને આપી આ ખાસ ભેટ
પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તંજાવર (નૃત્ય સરસ્વતી) અને નચિયારકોઇલ-શાખા અન્નમ લેમ્પની ભેટ આપી. બંને નેતાઓએ શોર મંદિર સંકુલમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લોક નૃત્યો માણ્યા હતા. પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિને તંજાવરનું પેઇન્ટિંગ આપ્યું છે, જેમાં સરસ્વતીની તસવીર બનાવવામાં આવી છે. આ પેઇન્ટિંગ બી લોગનાથને તૈયાર કર્યું છે. તેને તૈયાર કરવામાં 45 દિવસનો સમય લાગ્યો.
Gifts to Chinese President Xi Jinping from Prime Minister Narendra Modi: Nachiarkoil -Branched Annam Lamp and Thanjavur Painting-Dancing Saraswathi. pic.twitter.com/F1Sr5ttFZ3
તંજાવરની પેઇન્ટિંગ પલાગાઇ પદમ તરીકે પણ જાણીતી છે. લાકડા પર કરવામાં આવેલી આ ખૂબ જ જૂની પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગનું નામ તમિલનાડુના તાંજોર શહેરના નામ પરથી થંજાવર નામ પણ આપવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તે 16મી સદીમાં નાયક અને મરાઠા શાસકોના શાસન દરમિયાન ઉભરી આવ્યું હતું.આ કળાને 17મી સદીમાં મરાઠા શાસન હેઠળ નવું પ્રોત્સાહન અને સમર્થન મળ્યું. તંજાવુર પેઇન્ટિંગમાં હિન્દુ દેવીઓ, દેવો અને સંતોના ચિત્રો જોવા મળી રહ્યા છે.
નચિયારકોઈલ- બ્રાંચ અન્નમ લેમ્પ
પીએમ મોદીએ તંજાવરની પેઇન્ટિંગ ઉપરાંત, નાચીયારકોઇલ-શાખા અન્નમ લેમ્પને ચીનના રાષ્ટ્રપતિને ભેટ આપી હતી. તે 8 પ્રખ્યાત કલાકારો દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. આ દીવો, જે છ ફૂટ ઉંચાઈ અને 108 કિલોગ્રામ વજનનો છે, તે પિત્તળથી બનેલો છે, જેના પર સોનાનો એક સ્તર લગાવેલો છે. આ દીવો બનાવવામાં 12 દિવસ થયા. આ દીવો સૌ પ્રથમ પેથેર સમાજના લોકોએ બનાવ્યો હતો. પેથેર સમુદાયના લોકો પ્રથમ 1857 માં નાગરકોઇલથી ત્રાવણકોર આવ્યા અને પછી નચિરકોઇલમાં સ્થાયી થયા.