હાલમાં જ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમ્માનિત કરવાનું એલાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે થોડા દિવસો પહેલા ટ્વિટ કરી તેની જાણકારી આપી. અને તેને ભારતીયો માટે ગર્વની વાત બતાવી હતી. જોકે, દક્ષિણ એશિયાઇ લોકોના એક સમૂહે ફાઉન્ડેશનને પત્ર લખીને પીએમ મોદીને આ સમ્માન ન આપવા માટે અપીલ કરી છે.
બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને PM નરેન્દ્ર મોદીને સમ્માનિત કરવાનું એલાન કર્યું
ટેલીગ્રાફ ઇન્ડિયાના એક સમાચાર અનુસાર, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનું કહેવું છે કે 'સ્વચ્છ ભારત મિશન પહેલા ભારતમાં 50 કરોડ લોકો પાસે શૌચાલયની સુવિધા નહોતી, પરંતુ હવે મોટાભાગની પાસે છે. જોકે, ફાઉન્ડેશને એમ પણ કહ્યું કે, હજુ મંજિલ દુર છે, પરંતુ ભારતમાં સ્વચ્છતાનું મહત્વ હવે લોકો સમજવા લાગ્યા છે.
પીએમ મોદીને સમ્માન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સિદ્ધાંતો વિરુદ્ધ
નોંધનીય છે કે, પીએમ મોદી આગામી અમેરિકી પ્રવાસ દરમિયાન આ એવોર્ડ પ્રાપ્ત કરશે. પરંતુ એ પહેલા દક્ષિણ એશિયાઇ દેશોના એક સમૂહે બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશનને એેક પત્ર લખ્યો છે. જેમા એમણે પીએમ મોદીને આ એવોર્ડ ના આપવાની અપીલ કરી છે. એમનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમ્માન આપવું બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સિદ્ધાંતો વિરુદ્ધ છે. કેમકે, ફાઉન્ડેશનનું મિશન છે કે તે તમામને સમાન માને છે.
ભારતમાં લઘુમતીઓની સાથે હિંસા અને ભેદભાવ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં લઘુમતીઓની સાથે હિંસા અને ભેદભાવ થઇ રહ્યા છે. તેની સાથે જ મોદી સરકારમાં જમ્મૂ કાશ્મીરમાં ગત એક મહીનાથી મુકવામાં આવેલા પ્રતિબંધોને લઇને પણ ચિંતા જાહેર કરાઇ છે. પત્ર અનુસાર, ફાઉન્ડેશને માનવાધિકારોના ઉલ્લંઘનને ન ભૂલવું જોઇએ અને પરોપકારન કામ સાથે સંકળાયેલી સંસ્થાઓ ખાસ કરીને બિલ એન્ડ મેલિ્ન્ડા ગેટ્સ ફાઉન્ડેશને એવું તો બિલકુલ ન કરવું જોઇએ.
સમાચાર અનુસાર, ફાઉન્ડેશનને પત્ર લખનાર દક્ષિણ એશિયાઇ લોકોમાં ડિંબલ અબિચંદાની, રીમા અહમદ, રિલી બેનર્જી, શીલા બાપટ, સોહના ચક્રવર્તી, ત્રિશાલા દેબ, નેહા સિંહ, ગોહિલ, સાના જાફરી, અનિતા ખાશુ અને અલયમ્મા મેથ્યૂ વગેરે લોકો પણ સામેલ છે. આ તમામ લોકો પણ અલગ-અલગ સામાજિક કાર્યો સાથે જોડાયેલ છે.