પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની યાત્રા પર પહોંચેલ જાપાનનાં પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને 'કૃષ્ણ પંખી' ભેંટમાં આપ્યું. આ ચંદનની લાકડીનું બનેલ છે જાણો આ વિષે વિગતવાર
જાપાની પીએમ કિશિદાને પીએમ મોદીએ આપી ભેંટ
રાજસ્થાનમાં કરવામાં આવેલ છે આ કારીગરી
કિશિદાની પહેલી ભારત યાત્રા
જાપાની પીએમ કિશિદાને પીએમ મોદીએ આપી ભેંટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની યાત્રા પર પહોંચેલ જાપાનનાં પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને 'કૃષ્ણ પંખી' ભેંટમાં આપ્યું. આ ચંદનની લાકડીનું બનેલ છે અને તેની કિનારીઓ પર કલાત્મક આકૃતિઓનાં માધ્યમથી ભગવાન કૃષ્ણની વિવિધ મુદ્રાઓ પણ દર્શાવવામાં આવી છે.
રાજસ્થાનમાં કરવામાં આવેલ છે આ કારીગરી
'પંખી' ને પારંપરિક ઉપકરણોનાં માધ્યમથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેના શીર્ષ પર હાથથી નક્કાશી કરી તૈયાર કરવામાં આવેલ મોરની આકૃતિ છે, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. આ 'કૃષ્ણ પંખી'નું નિર્માણ રાજસ્થાનનાં ચુરુમાં કુશળ કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે.
The talks with PM @kishida230 were extensive and productive. He has always been a great friend of India’s. We took stock of the progress in our bilateral relations over the last few years. We also discussed various regional and global issues. pic.twitter.com/FaP3xP5o9u
શુદ્ધ ચંદનની લાકડીનો કરવામાં આવ્યો છે ઉપયોગ
આ કલાકૃતિ શુદ્ધ ચંદનની લાકડીથી તૈયાર કરવામાં આવી છે, જે મુખ્ય રૂપથી ભારતનાં દક્ષિણી ભાગનાં જંગલોમાં મળે છે.
કિશિદાની પહેલી ભારત યાત્રા
કિશિદા બપોરે 3 કલાક 40 મીનીટે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભરત પહોંચ્યા. જાપાન સરકારનાં પ્રમુખ તરીકે આ તેમની પહેલી ભારત યાત્રા છે. આ બાબતને લઈને મોદીના કર્લાયાલે ટ્વીટ કર્યું કે પ્રધાનમંત્રી જાપાન સાથેની મિત્રતાને મજબૂત બનાવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને કિશિદા વચ્ચે દિલ્લીમાં વાતચીત થઇ. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનાં ઉપાયો વિષે ચર્ચા કરી.