નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી પરંપરા કાયમ કરતાં વર્ષમાં બીજી વખત આજે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો. આઝાદ હીંદ સરકારની 75મી વર્ષગાંઠના પ્રસંગે લાલ કિલ્લામાં ખૂબ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આઝાદ હિંદ ફોજના ઘણા વયોવૃદ્ધ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સંબંધી ચંદ્ર બોઝ હાજર રહ્યા. પીએમએ કહ્યું કે આ પ્રંસગે લાલ કિલ્લા પર તિરંગા ફરકાવવો એમનું સૌભાગ્ય છે. એમને કહ્યું કે આ એ લાલ કિલ્લો છે જ્યાં વિક્ટ્રી પરંડનું સપનું 75 વર્ષ પહેલા નેતા જી સુભાષ ચંદ્ર બોઝે જોયું હતું.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કોંગ્રેસ પર અપ્રત્યઙ રૂપથી પ્રહાર કર્યો. રપીએમમોદીએ કહ્યું કે આ દેશમાં એક પરિવારને મોટું બનાવવા માટે ઘણા લોકોના યોગદાન ભૂલવામાં આવ્યો. પછી એ સરદાર પટેલ હોય બાબા સાહેબ આંબેડકર હોય અથવા નેતાજી.
પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દુનિયાની તાકતોને સંદેશ આપ્યો. પીએમએ કહ્યું કે ભારતની સૈન્ય તાકાત હંમેશાથી આત્મરક્ષા માટે રહી છે અને આગળ પણ રહેશે. પીએમ કહ્યું કે અમને ક્યારેય બીજાની જમીનની લાલચ રહી નથી.
પીએમ મોદી સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજની યાદોને તાજી કરવા પીએમ મોદી અંડમાન નિકોબાર પણ જશે. આ યાત્રા દરમિયાન તેઓ સેલુલર જેલનું પણ નિરીક્ષમ કરશે.