શ્રીલંકામાં 21 એપ્રિલે સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, એમાં 11 ભારતીય સહિત 258 લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર બ્લાસ્ટ બાદ પહેલી વખત મોદી 8 જૂને માલદીવ જશે. મોદી પરત આવતી વખતે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના સાથે મુલાકાત કરશે.
કોલંબો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જૂને શ્રીલંકાના પ્રવાસે જશે. 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટની બાદ મોદી ત્યાં જનાર પહેલા વિદેશી નેતા હશે. જો કે ત્યાં તેઓ થોડાક જ કલાક પસાર કરશે. મોદી રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના સાથે મુલાકાત કરશે. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 11 ભારતીય સહિત 258 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો આ ત્રીજો શ્રીલંકા પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015 અને 2017માં પણ શ્રીલંકા પ્રવાસ પર જઇ ચુક્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદીનો આ પ્રવાસ શ્રીલંકા સરકારને એવું કહેવા માટે છે કે આ આપત્તિમાં અમે એમની સાથે ઊભા છીએ. મંત્રાલયે ગુરુવારે કહ્યું કે આતંકવાદ સામે નિપટવામાં ભારત સરકાર શ્રીલંકાની પૂરી મદદ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 જૂને માલદીવ પ્રવાસ પર જશે. બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ આ એમનો પહેલો વિદેશી પ્રવાસ છે. 9 જૂને થોડાકસમય માટે શ્રીલંકા જશે. મોદી રવિવારે આશરે 11 વાગ્યે શ્રીલંકા પહોંચશે. અહીંયા રાષ્ટ્રપતિ ભવનમાં સિરિસેનાની સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. આ ઉપરાંત અહીંયા લંચ પણ કરશે.