પીએમ મોદી અમેરિકાથી ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચવા પર એમનું જોરદાર સ્વાગત થયું. આજથી પીએમ મોદી નવરાત્રીના નવ દિવસના ઉપવાસ કરશે અને શક્તિની સાધના કરશે.
આજથી નવરાત્રીના તહેવારની શરૂઆત થઇ
પીએમ મોદી પૂરા નવ દિવસ કરશે ઉપવાસ અને શક્તિની સાધના
પીએમ મોદી છેલ્લા 40 વર્ષોથી બંને નવરાત્રી, ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વ્રત કરતા આવ્યા છે
શારદીય નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલી નવરાત્રી 7 ઓક્ટોબરે પૂર્ણ થશે. સમગ્ર દેશમાં માચાના દરબારમાં ભારે ભીડ ઊમટી રહી છે. આ દિવસે ભક્ત કડક નિયમોનું પાલન કરતાં ઉપવાસ રાખે છે. કેટલાક લોકો ફળ પર ઉપવાસ કરે છો તો કેટલાક નિર્જલા વ્રત પણ રાખે છે. એવામાં હંમેશા લોકોને એવું જાણવાની ઇચ્છા રહે છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવરાત્રીની કેવી રીતે ઊજવણી કરે છે. એ કેવી રીતે ઉપવાસ રાખે છે.
પીએમ મોદી છેલ્લા 40 વર્ષોથી બંને નવરાત્રી ચૈત્ર અને શારદીય નવરાત્રી પર વ્રત રાખતા નજરે આવી રહ્યા છે. પીએમ મોદી માત્ર પ્રતિપદા અને નવમીએ જ ઉપવાસ કરતા નથી પરંતુ સમગ્ર નવ દિવસ ઉપવાસ પર રહે છે અને નિયમોનું પાલન પણ કડકપણે કરે છે.
ઉપવાસ દરમિયાન પીએમ મોદી સવારે અને સાંજે બંને સમયે માતાની પૂજા અર્ચના કરે છે. નવમીની સાથે નવ દિવસના નવરાત્રી ખતમ થયા હાદ એટલે કે આગળના દિવસે દશમી તિથીને જેને વિજયાદશમી કહેવામાં આવે એ દિવસે પીએમ મોદી શસ્ત્રની પણ પૂજા કરે છે.
મોદી કેટલું કડકપણે પાલન કરે છે એનું ઉદાહરણ વર્ષ 2014માં સામે આવ્યું હતું ત્યારે પીએમ મોદી નવરાત્રીના સમયે એટલે કે સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસ પર ગયા હતા. એ સમયે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં શાનદાર દાવત આપી હતી. એ સમયે પીએમ મોદીએ નિયમોનું પાલન કરતાં માત્ર લીંબૂ પાણી જ પીધું હતું.