કેરળની પછી પીએમ મોદીએ આજે તામિલનાડુમાં ધારાપુરમમાં એક ચૂંટણી રેલીમાં ભાગ લીધો હતો. આ વખતે તમિલનાડુના સીએમ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ તામિલનાડુમાં કર્યો પ્રચાર
ચૂંટણી પ્રચારને લઈને કેરળ પછી તમિલનાડુ પહોંચ્યા હતા પીએમ મોદી
આ રેલીમાં તમિલનાડુના સીએમમ પલાનીસ્વામી પ હાજર હતા
પીએમ મોદી મંગળવારે દક્ષિણ ભારતના રાજ્યોના પ્રવાસે હતા અને કેરળ અને તામિલનાડુમાં ચૂંટણી સભાઓને સંબોધી હતી. તામિલનાડુના ધારાપુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત આ રાજ્યની સંસ્કૃતિ પર ખૂબ જ ગર્વ કરે છે, અને આ તેમના જીવનનો સૌથી સુખદ ક્ષણ છે, કે યુએનમાં તેમને દુનિયાની સૌથી જૂની ભાષામાં અમુક શબ્દો બોલવાની તકે સાંપડી હતી.
બંને પાર્ટીઓનો પોતપોતાનો એજન્ડા
આ સાથે જ પીએમ મોદીએ કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું હતું કે બંને પાર્ટીઓ પોતપોતાના વંશના એજન્ડા ચલાવી રહી છે, જ્યારે કે ભાજપની પાસે તેનો વિકાસનો એજન્ડા છે. 25 માર્ચ 1989ને ક્યારેય ભૂલી નહિ શકાય કે તે દિવસે ડીએમકેના નેતાઓએ જયલલિતા સાથે શું કર્યું હતું. ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધન ક્યારેય પણ મહિલા સશક્તિકરણની ગેરેન્ટી નહીં દઈ શકે, કેમ કે તેમના શાસનમાં મહિલાઓની સામે અપરાધમાં વધારો થયો છે, જ્યારે કે એનડીએ મહાન અંદલ અને અવવયારના વિચારોથી પ્રેરિત છે અને માને છે કે મહિલાઓની પ્રગતિ વિના સમાજનો વિકાસ શક્ય જ નથી.
ભારત સરકારે ગત વર્ષોમાં ઘણા સુધારા કર્યા
પીએમ મોદીએ કેન્દ્ર સરકારની સિદ્ધિઓના વખાણ કરતા કહ્યું હતું કે અમારી સરકારે ગત વર્ષે ઘણા સુધારા કર્યા છે, એક pli યોજનાની જાણકારી આપતા તેમણે કહયું હતું કે આ સ્કીમ ડિસેમ્બરમાં શરુ કરવામાં આવી હતી. તામિલનાડુમાં ડિફેન્સ કોરીડોર બનાવવાથી રાજ્યના લોકોને આના ઘણા ફાયદા મળશે. જ્યારે કે ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન પર પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે આ ગઠબંધનના નેતાઓ પાસે વિઝનના નામે કશું જ નથી.
અપમાન નહીં સહન કરે તામિલનાડુની જનતા
પીએમ મોદીએ ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન પર પ્રહારો કરતા કહ્યું હતું કે બંને પાર્ટીઓએન તેમના નેતાઓને કાબૂમાં રાખવા જોઈએ. તામિલનાડુના લોકો દરેક ચીજનો વિચાર કરે છે. , તે આ રાજ્યની મહિલાઓનું અપમાન ક્યારેય પણ સહન નહિ કરે.
શું તેમણે નિંદા કરી ? : પીએમ મોદી
વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં એક વૃદ્ધ મહિલા શોવા મજુમદારનું મૃત્યુ થઇ ગયું, અમુક અઠવાડિયાઓ પહેલા આપણે જોયું કે ટીએમસીના ગુંડાઓએ આ મહિલા ઉપર ક્રૂરતાથી હુમલો કર્યો હતો, કેમ કે તેમની વિચારધારા અલગ હતી. આ ઘણા સમય સુધી સમાચારમાં રહ્યું હતું પરંતુ કોંગ્રેસે શું આ મામલે સંવેદનાઓ દર્શાવી ? શું ડીએમકે અને સામ્યવાદીઓએ તેની નિંદા કરી.