પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષ પાસ કરાયેલા કૃષિ કાયદાના વિરોધને રાજનીતિક છેતરપિંડી ગણાવી દીધી છે.
કેટલાક લોકો પોતાના વાયદા પુરા કરવાનો તેઓ યુર્ટન મારે છે
પોતાના વાયદાને લઈને અનેક જાતે બનાવેલી અને જૂઠ્ઠી વાતો ફેલાવે
પહેલા માંગ, હવે વિરોધ... આ તો બૌધ્ધિક બેઈમાની
કેટલાક લોકો પોતાના વાયદા પુરા કરવાનો તેઓ યુર્ટન મારે છે
મોદીએ ઓપન મેગેજીનના ઈન્ટરવ્યૂહમાં કહ્યું કે અનેક રાજનીતિક દળો છે જે ચૂંટણીની પહેલા મોટા મોટા વાયદા કરે છે. તેને મેનિફેસ્ટોમાં પણ નાંખે છે. પછી જ્યારે સમય આવે છે તે વાયદા પુરા કરવાનો તેઓ યુર્ટન મારે છે અને પોતાના વાયદાને લઈને અનેક જાતે બનાવેલી અને જૂઠ્ઠી વાતો ફેલાવે છે. જો તમે ખેડૂતના હિતમાં કરવામાં આવેલા સુધારાનો વિરોધ કરનારા વાળાઓને જોતો તો તમને બૌદ્ધિક બેઈમાની અને રાજનીતિક છેતરપિંડીનો અસલી મતલબ દેખાશે.
પહેલા માંગ, હવે વિરોધ... આ તો બૌધ્ધિક બેઈમાની
મોદીએ વધુમાં કહ્યું કે આ એ લોકો છે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખી એ કરવાનું કહ્યું જે અમારી સરકારે કર્યુ છે. આ એ લોકો છે જેમણે પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું કે તેઓ સુધારો લાગૂ કરશે. જે અમે લઈને આવ્યા. જો કે અમે અલગ રાજનીતિક દળ છીએ જેને લોકોએ પોતાનો પ્રેમ આપ્યો છે અને એ સુધાર લાગુ કરી રહ્યા છે તો તેમણે સંપૂર્ણ યૂ ટર્ન મારી લીધો છે અને બૌદ્ધિક બેઈમાનીનું ભૂંડુ પ્રદર્શન કરી રહ્યા છે. આ સંપૂર્ણ રીતે નજર અંદાજ કરી દેવામાં આવ્યું છે કે ખેડૂતોના હિતમાં શું છે. ફક્ત એટલું જ વિચારવામાં આવી રહ્યું છે કે તેમને આનાથી રાજનીતિક કેટલો ફાયદો થશે. પીએમ અનુસાર આ રાજનીતિત છેતરપિંડી, જીએસટી, કૃષિ કાયદા અને ત્યા સુધી કે સૈન્ય દળના હથિયારો જેવા ગંભીર મામલા પર જોવા મળી શકે છે. વાયદો કરો તેના માટે તર્ક આપો અને પછી કોઈ નૈતિક મૂલ્ય વગર તે વસ્તુનો વિરોધ કરો.
મોદીને કોઈ રોકી નહીં શકે
પીએમ મોદીએ ઈન્ટરવ્યૂહમાં આગળ કહ્યું, જે લોકો આવા વિવાદ પૈદા કરી શકે છે કે તેમને લાગે છે કે મુદ્દો એ નથી કે આવા નિર્ણયથી જનતાને ફાયદો થશે કે નહીં. તેમના માટે મુદ્દો એ છે કે જો આ રીતે નિર્ણય લેવાશે તો મોદીની સફળતાને કોઈ રોકી નહીં શકે. મોદીએ કહ્યું કે તમને નથી લાગતું કે રાજનીતિક દળ પોતાનો માહોલ બનાવી રહ્યા હતા. જ્યારે તે સભ્યોને નવી સંસદની જરુરિયાતની વાત કરી તો પહેલાના સ્પીકર્સે કહ્યું કે નવી સંસદની શું જરુર છે? પરંતુ કોઈ આવું કરે તો તેઓ કોઈ બહાનું બનાવીને વિરોધ કરે છે.
સરકાર પહેલા દિવસથી કહી રહી છે કે જે પોઈન્ટ પર અસહમતિ તે જણાવો
પીએમ મોદીએ કહ્યું કે અમે નાના ખેડૂતોને સશક્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. કૃષિ કાયદાને લઈને સરકાર પહેલા દિવસથી કહી રહી છે કે જે પોઈન્ટ પર અસહમતિ છે. સરકાર બેસીને તેના પર વાત કરવા માટે તૈયાર છે. આ સંબંધમાં અનેક બેઠક પણ થઈ પરંતુ અત્યાર સુધી કોઈ એક વ્યક્તિ પણ એ ન જણાવી શક્યો કે કયા મુદ્દા પર ફેરફારની જરુર છે.