પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી ઘોષણા બાદ દેશના લોકોએ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે તેમના ઘરની બહાર દીવા પ્રગટાવ્યા અને ફટાકડા પણ ફોડ્યા હતા. દરેક જગ્યાએ ઉત્સાહ જોવા મળ્યો હતો.
લોકોએ ફટાકડા ફોડીને શંખ ધ્વની પણ કર્યો હતો. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધીનું સમગ્ર ભારત દિપકના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતુ. ત્યારે આ ઘટનામાં ફિલ્મ ઇન્ડ્રસ્ટી પણ જોડાઇ હતી.
બોલિવૂડ સિંગર લતા મંગેશકરે પણ દીવો પ્રગટાવતો ફોટો શેર કર્યો હતો અને લોકોને શાંતિનો સંદેશ આપ્યો હતો.લતા મંગેશકરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે દીવો પ્રગટાવતી જોવા મળી રહી છે. તેણે આની સાથે કેપ્શનમાં લખ્યું - નમસ્કાર. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના આહ્વાન પર આવો બધા સાથે મળીને દિવો પ્રગટાવીએ.