PM મોદી ભારતના દરેક રાજ્યનાં હાલ જાણી રહ્યા છે ત્યારે તેમણે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી સાથે કરી ચર્ચા
રાજ્યની સ્થિતિ અંગેની તમામ જાણકારી મેળવી
PM મોદી એક પછી એક દરેક રાજયના મુખ્યમંત્રી તથા ઉપરાજ્યપાલ સાથે સ્થિતિની સમીક્ષા કરે છે
મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી 74,413 લોકોના મોત
રાજ્યની સ્થિતિ અંગેની તમામ જાણકારી મેળવી
કોરોનાની બીજી લહેરમાં જો કોઈ રાજ્યને વધુ અસર થઈ હોય તો તે મહારાષ્ટ્ર છે. દેશભરની પરિસ્થિતિ જાણવા માટે PM મોદી એક પછી એક રાજયનાં મુખ્યમંત્રી સાથે વાતો કરી રહ્યા છે. તે જ સંદર્ભે શનિવારે તેમણે મહારાષ્ટ્રનાં CM ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી રાજ્યની સ્થિતિ અંગેની તમામ જાણકારી મેળવી હતી. કોરોનાનું સંક્રમણ અટકાવવાથી લઈ હોસ્પિટલમાં પૂરતા સંસાધનોની માહિતી મેળવી હતી.
PM મોદી એક પછી એક દરેક રાજયના મુખ્યમંત્રી તથા ઉપરાજ્યપાલ સાથે સ્થિતિની સમીક્ષા કરે છે
શુક્રવારે PM મોદીએ મણિપુર, ત્રિપુરા અને સિક્કિમનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. અને પહેલા આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને તેલંગાણાનાં મુખ્યમંત્રી સાથે કોરોનાને લઈ ચર્ચા કરી હતી. સાથે સાથે PM મોદીએ જમ્મુ અને કાશ્મીર, ઉપરાંત પોંડિચેરીના ઉપરાજ્યપાલો સાથે વાત કરી સમીક્ષા કરી હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી 74,413 લોકોના મોત
દેશમાં કોરોનાનાં આંકડા દિવસે દિવસે વધતાં જઈ રહ્યા છે. દેશમાં કુલ કોરોનાથી થયેલ મૃત્યુનો અંક 2,38,270 સુધી પહોંચી ગયો છે. જ્યારે રોજ ચાર લાખથી વધુ પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સરેરાશ દૈનિક 898 મોત થઈ રહ્યા છે. વધુ મોતનો આંકડો મહારાષ્ટ્રનો છે, જેનો અંક 74,413 છે.