ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સાધ્વીની ઉમેદવારી કોંગ્રેસને મોંઘી પડવાની છે. પીએમ મોદીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાન તાકતા કહ્યું કે અમેઠી અને રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જામીન પર છે.
મધ્ય પ્રદેશમાં ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સાધ્વીની ઉમેદવારી કોંગ્રેસને મોંઘી પડવાની છે. પીએમ મોદીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાન તાકતા કહ્યું કે અમેઠી અને રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જામીન પર છે.
તેના પર ચર્ચા નહીં, પરંતુ ભોપાલ બેઠકના ઉમેદવાર જામીન પર છે તો મોટું તોફાન ઉભુ કરી દે છે આમ કેમ ચાલે. આ બધા લોકોને જવાબ આપવા સાધ્વી પ્રજ્ઞા એક પ્રતીક છે અને આ કોંગ્રેસને ઘણું મોંઘુ પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા ચેનલ સમક્ષ જણાવતાં કહ્યું કે સમજોતા એક્સપ્રેસનો ચુકાદો આવી ગયો છે. શું નિકળ્યું ?
દુનિયામાં 5 હજાર વર્ષ જે મહાન સંસ્કૃતિ અને પરંપરાને 'વસુધૈવ કુટુમ્બકમ'નો સંદેશ આપ્યો, 'સર્વે ભવન્તુ સુખિનઃ' નો સંદેશ આપ્યો, જે સંસ્કૃતિને 'એકમ સદ્ વિપ્રાઃ બહુધા વદન્તિ' નો સંદેશ આપ્યો, એવી સંસ્કૃતિને કોંગ્રેસ કોઇ પુરાવા વગર આતંકવાદી કહી દીધો. પીએમ મોદીએ કહ્યું કે આવા લોકોને જવાબ દેવા માટે આ એક પ્રતીક છે અને કોંગ્રેસને આ મોંઘુ પડવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના દિવંગત નેતા પૂર્વ પીએમ રાજીવ ગાંધી પર પણ નિશાન તાક્યું. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ત્યારે તેમના પુત્રએ કહ્યું હતું કે એક મોટું વૃક્ષ ધરાશયી થાય તો જમીન હલે છે. ત્યારબાદ દેશમાં હજારો સરદારોની હત્યા કરવામાં આવી.
શું આ નિશ્ચિત લોકોનો આતંક નહોતો? પીએમ મોદીએ કહ્યું તેમ છતાં તેમને વડાપ્રધાન બનાવી દીધા. સરદારોની હત્યા કરી દેવામાં અને આવુ કરનારાઓને ત્યારબાદ મેમ્બર ઓપ પાર્લામેન્ટ અને કેન્દ્રમાં મંત્રી બનાવી દેવામાં આવ્યાં. એકને તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવામાં આવ્યાં. જેના પર આરોપ લાગ્યા છે, શું એમને પુછવામાં આવ્યું.