ગેલપ સર્વેના આધારે ભારતના 91 ટકા લોકોનું માનવું છે કે ભારત સરકાર કોરોના સામે લડવામાં સારું કામ કરી રહી છે. આ સર્વેમાં ભારત સરકારની રેટિંગ દુનિયા ભરની સરકારમાં નંબર 1 છે. ભારતના 79 ટકા લોકોનું માનવું છે કે લૉકડાઉન વધારવાનો સરકારનો નિર્ણય સાચો હતો.
ગેલપ સર્વેમાં PM મોદીને મળ્યું પહેલા નંબરનું સ્થાન
91 ટકા લોકોએ PMના કામ પર ભરોસો દેખાડ્યો
79 ટકા લોકોનું માનવું છે કે લૉકડાઉન વધારવું યોગ્ય હતું
કોરોના રોગચાળાના આ સમયગાળામાં, વિશ્વની એજન્સીઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્ય પર સતત મહોર મારવામાં આવી રહી છે. વિશ્વની પ્રખ્યાત સર્વે એજન્સી ગેલપે કોરોના સંકટ દરમિયાન 28 દેશોની સરકારોની કામગીરીનું સર્વેક્ષણ કર્યું છે અને આ સર્વેમાં ખુલાસો થયો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના ચેપ સાથે વ્યવહાર કરવામાં વિશ્વના પ્રથમ નંબરે છે.
91 ટકા લોકોએ PMના કામ પર ભરોસો દેખાડ્યો
ગેલપ અનુસાર, સર્વેક્ષણ કરાયેલા લોકોમાંથી 91 ટકા લોકોના મતે ભારત સરકાર કોરોના સાથેના વ્યવહારમાં સારી કામગીરી કરી રહી છે. ગેલપ સર્વેમાં ભારત સરકારનું રેટિંગ વિશ્વભરની સરકારોમાં પ્રથમ ક્રમાંકે છે. સર્વેક્ષણ કરાયેલા 79% લોકોએ એમ પણ કહ્યું છે કે લોકડાઉન વધારવાનો સરકારનો નિર્ણય એ યોગ્ય પગલું હતું.
અમેરિકી એજન્સીએ પણ ગણાવ્યા પીએમ મોદીને નંબર 1
આ પહેલાં અમેરિકાની એક એજન્સીએ કોરોના સામેની લડતમાં PM મોદીને નંબર 1 નેતા ગણાવ્યા હતા. મોર્નિંગ કંસલ્ટ નામની ગ્લોબલ ટેક્નોલોજી અને મીડિયા કંપનીએ માર્ચમાં એક સર્વે કર્યો. તેમાં પીએમ મોદીને કોરોનાની લડાઈમાં સૌથી મોટા અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે.
દુનિયાના બીજા નંબરના સર્વાધિક લોકપ્રિય નેતા
આ પછી બ્રિટનની ઓનલાઈન ડિજિટલ અને એનાલિટિક્સ ફર્મ YouGov એ પોતાના સર્વેમાં કોરોના સાથે લડવામાં પીએમ મોદીને દુનિયાના અન્ય નંબરના સર્વાધિક લોકપ્રિય નેતા ગણવામાં આવે છે.
PM મોદીના કામ પર લોકોને છે ભરોસો
આ બે એજન્સીઓના સર્વે બાદ ગેલપે પણ PM મોદીના કામના વખાણ કર્યા છે. સર્વેમાં કહેવાયું છે કે ભારતની સરકાર પર સર્વેમાં સામેલ 91 ટકા જનતાને ભરોસો છે તો ઓસ્ટ્રેલિયાની સરકાર પર 86 ટકા જનતાને ભરોસો છે. પાકિસ્તાનમાં પણ 82 ટકા લોકો માને છે કે ઈમરાન ખાન સરકાર કોરોનાની સામે સારી કામગીરી કરી રહી છે. ફિલિપિન્સમાં 80 ટકા લોકો સરકારના કામ પર ભરોસો કરી રહી છે.
48 ટકા લોકો ટ્ર્મ્પના કામથી નાખુશ
ગેલપ સર્વેમાં સામે આવ્યું છે કે અમેરિકામાં 48 ટકા લોકોનું માનવું છે કે સરકારે સારું કામ કર્યું નથી. થાઈલેન્ડના 81 ટકા લોકો કોરોના સામે લડવામાં સરકારના કામથી નાખુશ છે. જ્યારે જાપાનમાં પણ 69 ટકા લોકો સરકારથી નારાજ છે.
ભારતમાં 79 લોકો લૉકડાઉન સાથે સહમત
ભારતમાં પણ 79 ટકા લોકો લૉકડાઉનના સમર્થનમાં છે. સરકારે તેમની સાથે સહમતિ દર્શઆવી છે. ભારત એ દેશોમાં સામેલ છે જ્યાં 90 ટકાથી વધારે લોકો આ વાતથી અસહમત હતા કે હાલના સંકટમાં લોકતંત્ર પ્રભાવી નથી.
71 ટકા લોકો માને છે કે કોરોનાનું સંકટ ગંભીર
માર્ચમાં જ્યારે ગેલપનો સર્વે થયો તો દુનિયાના 59 ટકા લોકો માનતા હતા કે કોરોના સંકટ ગંભીર છે. હવે 63 ટકા લોકો માને છે કે આ સંકટ ઘણું મોટું છે. ભારતમાં માર્ચમાં 43 ટકા લોકો કોરોનાને લઈને સામાન્ય રીતે ચિંતિંત હતા પણ ભારતમાં 71 ટકા લોકો માને છે કે કોરોના ગંભીર સંકટ છે.