પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદી આગામી 30મી નવેમ્બરના રોજ કચ્છની મુલાકાતે પહોંચશે. પીએમ મોદી કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે. આ સાથે માંડવીમાં નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉધ્ધાટન કરશે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજે એક મહિનાની અંદર બીજી વખત રાજ્યની મુલાકાતે આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 નવેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવશે. જ્યાં પીએમ મોદી કચ્છમાં સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે તેમજ માંડવી ખાતે નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉધ્ધાટન કરશે. આમ પીએમ મોદી એક મહિનાની અંદર બીજી વખત રાજ્યની મુલાકાત લેશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 30-31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં હતા. પીએમ મોદીએ કેવિડયા ખાતે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
પીએમ મોદીએ કેવડિયાથી અમદાવાદ વચ્ચે સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયાથી અમદાવાદ રીવરફ્રન્ટ સુધી સી-પ્લેનમાં આવ્યાં હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા 30મીએ સીધા કેવડિયા પહોંચવાના હતા. જો કે 29મીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનને લઇને પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ 30મીએ ગાંધીનગર ખાતે કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ બાપાને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી.