મીડિયા રિપોર્ટ્સમાં સંભવિત મોદી મંત્રીમંડળને વિસ્તરવાની સાથે સાથે મંડળમાં નવા ચહેરા આવશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.
30 જૂનના રોજ સાંજે 5 વાગે થશે મિટિંગ
27 સંભવિત નેતાઓ મંત્રીમંડળમાં આવશે તેવી ચર્ચા
જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો સાથેની બેઠક બાદ મોટી બેઠક
30 જૂનના રોજ સાંજે 5 વાગે થશે મિટિંગ
PM મોદીની મંત્રીપપરિષદની બેઠક માટેની તારીખ અને સમય નક્કી થઈ ગયો છે. આ બેઠક 30 જૂનના રોજ સાંજે 5 વાગે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોડી સાથે મંત્રી પરિષદની બેઠકમાં બધા જ કેબિનેટ મંત્રી, સ્વતંત્ર પ્રભારીવાળા મંત્રી અને રાજયમંત્રી હાજર રહેશે.
27 સંભવિત નેતાઓ મંત્રીમંડળમાં આવશે તેવી ચર્ચા
તમને જણાવી દઈએ કે આ બેઠકને એકદમ મહત્વની માનવામાં આવી રહી છે, આવનારા દિવસોમાં મોદી મંત્રીમંડળને વિસ્તારવાની પણ ચર્ચા છે. મીડિયા રિપોર્ટ્સમાં સંભવિત મોદી મંત્રીમંડળને વિસ્તરવાની સાથે સાથે મંડળમાં નવા ચહેરા આવશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. 27 સંભવિત નેતાઓ મંત્રીમંડળમાં આવશે તેવી ચર્ચા છે.
જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો સાથેની બેઠક બાદ મોટી બેઠક
જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો સાથેની બેઠક બાદ હવે કેન્દ્ર સરકારે લદ્દાખના મુદ્દે બીજી મોટી બેઠક બોલાવી છે. આ બેઠક 1 જુલાઈના સવારના 11 કલાકે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીના નિવાસસ્થાને યોજાશે તથા તેને માટે લદ્દાખના રાજકીય પક્ષો તથા પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ અપાયું છે.બેઠકમાં કારગીલ અને લદ્દાખના વિકાસ સંબંધિત ચર્ચા કરવા તથા કેન્દ્ર સરકારના પ્લાન અંગે ત્યાંના લોકોને માહિતગાર કરવામાં આવે તેવી સંભાવના છે. બેઠકમાં લદ્દાખના રાજકીય પક્ષોના મનની વાત જાણવાનો સરકારનો ઈરાદો છે.