પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી આજે કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામા આવ્યો છે.
મોદી સરકારે આ કંપનીમાં સરકારી ભાગીદારી વેચી
36500 કરોડ રૂપિયા એકઠા કરવાનો રાખ્યો છે ટાર્ગેટ
જપાનથી પરત ફર્યા બાદ કેબિનેટ બેઠક બોલાવી
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી આજે કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામા આવ્યો છે. જેમાં હિન્દુસ્તાન ઝીંકમાં ભાગીદારીના વેચાણને મંજૂરી આપી દીધી છે. સરકારે હિન્દુસ્તાન ઝીંકમાં પોતાની ભાગીદારી વેચશે. આ સરકારી કંપનીમાં સરકારી ભાગીદારી 29.54 ટકા છે. ભાગીદારી વેચાણથી સરકારને લગભગ 36,500 કરોડ રૂપિયા મળવાની આશા છે. કેબિનેટની સ્ટેક સેલના નિર્ણયથી હિન્દુસ્તાન ઝીંકના શેર 7.28 ટકા ચડી ગયા હતા. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી જપાનથી પરત ફર્યા બાદ તુરંત કેબિનેટ બેઠક બોલાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આજે થયેલી કેબિનેટ બેઠકમાં સરકારે હિન્દુસ્તાન ઝીંકમાં ભાગીદારી વેચવાનો નિર્ણય લીધો છે. સરકાર આ કંપનીમાં પોતાની પુરેપુરી ભાગીદારી વેચી દેશે. હિન્દુસ્તાન ઝીંકમાં વેદાંતાની પણ 64.29 ટકા ભાગીદારી છે.
રોકાણકારો પાસેથી 65000 કરોડ મેળવવાનો ટાર્ગેટ
આપને જણાવી દઈએ કે, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈંડિયા, પવન હંસ, આઈડીબીઆઈ બેંક અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની સ્ટેટજિક સેલમાં મોડુ થઈ રહ્યું છે. સરકારે નાણાકીય વર્ષ 2023 માટે 65,000 કરોડ રૂપિયાના રોકાણના ટાર્ગેટનું અનુમાન લગાવ્યું છે.
આ ચાલૂ નાણાકીય વર્ષમાં 23, 575 કરોડ એકઠા કરી લીધા
કેન્દ્રએ ચાલૂ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી રોકાણના માધ્યમથી લગભગ 23,575 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે. તેમાંથી 20,560 કરોડ રૂપિયા એલઆઈસીના આઈપીઓમાંથી અને 3000 કરોડ રૂપિયા સરકારી એક્સપ્લોરર ONGCમાં 1.5 ટકા ભાગીદારી વેચાણમાંથી મળ્યા છે.
બીપીસીએલનું ખાનગીકરણ અટવાયું
સરકારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્રાઈવેટાઈઝેશનની પ્રક્રિયાને હાલમાં રોકી દીધી છે. બીપીસીએલની રણનીતિક વેચાણને જિયો પોલિટિકલ ટેન્શનની દ્રષ્ટિ રોકાણકારોનો ઓછો રસ જોતા તેને બંધ કરી દેવામાં આવી છે.