પશ્ચિમ બંગાળમાં આજે પીએમ મોદી સંબોધન કરશે અને સાથે જ ભાજપમાં મિથુન ચક્રવર્તીને સામેલ કરવાની અટકળોનો પણ અંત આવશે.
પ. બંગાળમાં રાજકારણનો સુપર સંડે
મિથુન ચક્રવર્તી મુદ્દે મોટું એલાન કરી શકે છે BJP
પીએમ મોદી કરશે સંબોધન
પ. બંગાળમાં ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે સાથે રાજકારણ પણ ગરમાયું છે. એક પછી એક થઈ રહેલી રેલીઓની વચ્ચે આજે બંગાળમાં સુપર સંડે જોવા મળી શકે છે. પીએમ મોદી પ. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનને ધાર આપવા માટે રવિવારે કોલકત્તાના બ્રિગેડ પરેડ મેદાનમાં એક રેલીને સંબોધિત કરશે. પીએમ મોદીએ આ રેલીના સમયે અભિનેતા મિથુન ચક્રવર્તી પણ હાજર રહેશે. આ વાતની જાણકારી ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આપી છે.
प्रधानमंत्री नरेंद्र मोदी आज दोपहर 2 बजे कोलकाता के बिग्रेड परेड ग्राउंड में रैली को संबोधित करेंगे। इस रैली में अभिनेता मिथुन चक्रवर्ती भी शामिल होंगे। pic.twitter.com/3nBgubfBK8
રેલીના સમયે અભિનેતા મિથુન ચક્રવર્તી પણ હાજર રહેશે
ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે કોલકત્તામાં પીએમ મોદીની રેલીમાં બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી હાજર રહેશે. ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મિથુન ચક્રવર્તીના ભાજપમાં સામેલ થવાને લઈને કોઈ ચર્ચા થઈ નથી. બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં વોટિંગ શરૂ થયું છે અને 2 મે સુધીમાં તેના પરિણામો પણ આવશે.
If Mithun Chakraborty comes it'll be good, both for Bengal as well as our party. If he comes on a stage where there is PM, the people of Bengal will be happier: Arjun Singh, West Bengal BJP Vice President when asked if Chakraborty will join BJP on 7th March at a rally of PM Modi pic.twitter.com/4ch4BUHDdu
પ. બંગાળમાં ભલે ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં જીતનો દમ દેખાડી રહી હોય પણ ચૂંટણી પ્રચારમાં તેઓ ખાસ કરીને પીએમ મોદીના ભરોસે છે. 8 તબક્કામાં થનારા ચૂંટણીના પ્રચારમાં તેઓ 12થી વધુ રેલીઓને સંબોધન કરશે. પાર્ટીને આશા છે કે પ. બંગાળમાં પણ બિહાર જેવી સફળતા મળશે. આ સમયે પણ પીએમ મોદીની રેલીથી જ જીત મળી હતી. પીએમ મોદીની રેલીનું શિડ્યુલ તૈયાર કરાયું નથી પણ પાર્ટી નેતાઓનું કહેવું છે કે દરેક ચરણના મતદાન પહેલા તેઓ 2 રેલીને સંબોધિત કરી શકે છે.