ભાજપના 40માં સ્થાપના દિવસ પર પીએમ મોદીએ પાર્ટીના કાર્યકર્તાને સંબોધિત કર્યા. આ દરમિયાન તેઓએ કહ્યું કે આ આપણા દેશ માટે ખુબ જ મુશ્કેલ સમય છે પરંતુ રાજ્ય સરકારોના સહકારથી આપણે સારી રીતે લડાઇ લડી રહ્યા છીએ.
ભાજપના 40માં સ્થાપના દિવસ પર પીએમ મોદીએ પાર્ટીના કાર્યકર્તાને સંબોધિત કર્યા
પીએમ મોદીએ કહ્યું કે ભારતે તમામ સ્તરે એક પછી એક પ્રોએક્ટિવ થઇને નિર્ણય લીધા
પીએમ મોદીએ કહ્યું કે ભારતે તમામ સ્તરે એક પછી એક પ્રોએક્ટિવ થઇને નિર્ણય લીધા. રાજ્ય સરકારોના સહકારથી આ નિર્ણયોને ગતિ પણ મળી. ભારતે જે રીતે ઝડપી અને સમગ્રતાથી કામ કર્યું છે. તેની પ્રંશસા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કરી છે.
India's efforts have set an example before the world in tackling #CoronavisusPandemic.India is one of the countries which understood seriousness of this disease&waged a timely war against it. India took several decisions&tried its best to implement them on ground:PM Narendra Modi pic.twitter.com/o133MEUBTv
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આપણે સુનિશ્ચિત કરવું પડશે કે આપણી આજુબાજુ કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે. બાજુ આપણા પરિજનો કે 5 અન્ય લોકોને માસ્ક બનાવીને ગિફ્ટ કરીશું. જ્યારે પણ મદદ માટે જાઓ તો માસ્ક પહેરીને જાઓ. આ માસ્ક ક્લિનિકલ જ હોય તે જરૂરી નથી, કોઈ પણ સાદા કપડાંથી પણ બનેલું હશે તો ચાલશે
પીએમ મોદીએ કહ્યું કે કોરોના વિરુદ્ધની લડાઈ હજુ લાંબી છે, આપણે થાકવાનું નથી અને ન હાર માનવાની છે. આ લાંબી લડાઈ જીતીને બહાર આવવાનું છે. લડાઈમાં વિજય મેળવવો આપણા લોહીમાં છે, આપણા સંસ્કારમાં છે.
I state it with full responsibility that this is a long war against #CoronavirusPandemic. But we do not have to get tired or take a rest in this war. We have to emerge victorious. Today, the country has only one goal & one resolve - to win this war: PM Narendra Modi pic.twitter.com/QwQFOC8SnJ
ભાજપના કાર્યકર્તાઓને પીએમ મોદીએ કહ્યું ભારતે કેટલાંય નિર્ણયો લીધાં છે અને તેને ગ્રાઉન્ડ લેવલ પર ઉતાર્યા છે. કોરોના વાયરસ બીમારીની અસર દરેક પર થાય છે, આ વિશે કેટલાંકને જાણકારી નથી. આપણી સરકારે ઍરપોર્ટ પર સ્ક્રિનીંક, અમુક દેશોથી આવનારા લોકો પર રોક, મેડિકલની સુવિધાઓ મજબૂત કરવા જેવા મહત્વના નિર્ણયો લીધાં.
પ્રધામનમંત્રી મોદીએ કહ્યું ભારતના પગલાંના વખાણ WHO એ પણ કર્યા છે, આ ઉપરાંત દુનિયાના કેટલાંય મંચ પર કોરોના મુદ્દે ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. કેટલાંક દેશોના પ્રમુખ સાથે આપણી વાત થઈ છે, આપણો દેશ વિકાસશીલ દેશ જે ગરીબીની વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે. પરંતુ આ સંકટમાં આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પ્રયાસ કરી રહ્યાં છે.