વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. પીએમ નરેન્દ્ર મોદી ગરૂડેશ્વર દત્ત મંદિરે પૂજન કરવા પહોંચ્યાં છે. દત્ત મંદિર નર્મદા નદીના કાંઠે આવેલું છે. પીએમ મોદીએ ગરૂડેશ્વર દત્ત મંદિરમાં પુજા કરી. પીએમ મોદી આ અગાઉ જ્યારે CM હતા ત્યારે પણ દત્ત મંદિરના દર્શનાર્થે જતા હતા. ત્યારબાદ પીએમ મોદીએ ન્યૂટ્રિશન ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી.
Gujarat: Prime Minister Narendra Modi offers prayers at Garudeshwar Dutt Temple in Narmada district. pic.twitter.com/KFQZanQzZe
પીએમ ગાંધીનગર રાજભવનથી સીધા નર્મદા કેવડિયા પહોંચ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા નમામિ દેવી નર્મદે મહોત્સવમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના જન્મદિવસે કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી. જ્યાં પીએમ મોદીએ નર્મદાના નવા નીરના વધામણા કર્યાં. તેમજ અગાઉ નવા પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
પીએમ મોદીએ નર્મદા ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કર્યાં. નારિયેળ અને ચૂંદડી નર્મદા નદીમાં અર્પણ કર્યાં. પીએમ મોદીએ નર્મદા ડેમ પર નર્મદાનું પૂજન કર્યું. કાંઠાના 100 વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર કર્યાં. આ દરમિયાન રાજ્યના રાજ્યપાલ સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં.
PM મોદીએ રિવર રાફ્ટિંગ પ્રોજેક્ટનું કર્યુ નિરીક્ષણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ત્યારે હાલ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે. જ્યારે બીજી તરફ નર્મદા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ત્યારે વહેલી સવારે PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા હતા. જ્યાં PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ PM મોદીએ વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા છે. એટલું જ નહીં PM મોદીએ રિવરરાફ્ટિંગ પણ નિહાળ્યું હતું. પીએમ મોદીએ સફારી પાર્કનું નિરીક્ષણ કર્યું. આ સમયે રાજ્યપાલ, સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ હાજર રહ્યાં હતાં.
PM મોદીએ ગાર્ડનમાં ઉડાવ્યા પતંગીયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાની મુલાકાતે પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમણે જંગલ, સફારી, બટરફલાય ગાર્ડન અને કેકટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. જંગલ સફારીમાં તેમણે જાણકારી મળી હતી. ત્યારબાદ કેક્ટસ ગાર્ડનમાં તમામ પ્રકારની અલગ-અલગ પ્રકારના થોર વિશે જાણકારી મેળવી હતી. જો કે ત્યારબાદ પીએમ મોદીએ બટરફલાય ગાર્ડનમાં પતંગીયા ઉડાવ્યાં હતા.