મુંબઇ: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકની રિલીઝિંગ પર વિવાદ વધતો જઇ રહ્યો છે. ફિલ્મની રિલીઝિંગને લઇને વિપક્ષી રાજકીય દળ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. લોસકભાની ચૂંટણી 2019 ના એક સપ્તાહ પહેલા એટલે કે ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થઇ રહી હતી પરંતુ હવે એને એક સપ્તાહ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ફિલ્મમાં વિવેક ઓબરૉય પ્રધાનમંત્રી મોદીની ભૂમિકા નિભાવી રહ્યા છે.
હાલ ફિલ્મની રિલીઝિંગને એક સપ્તાહ માટે ટાળી દેવામાં આવી છે. પરંતુ ક્યારે રિલીઝ થશે એ વાતની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. ફિલ્મને અસલમાં કયા કારણોસર ટાળી દેવામાં આવી છે એ પણ હજુ સ્પષ્ટ થયું નથી. એક બાજુ રાજકીય દળોનો ભારે વિરોધને એનું કારણ જણાવવામાં આવ્યું છે. સૂત્રો પ્રમાણ સુપ્રીમ કોર્ટ અને નિર્વાચન આયોગમાં આ કેસ હજુ પણ પેન્ડિંગ છે. ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થશે નહીં એ વાતની જાણકારી ફિલ્મ એનાલિસ્ટ અતુલ મોહનના એક ટ્વિટ દ્વારા મળી છે.
આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં વિવેકે કહ્યું હતું કે મને સમજાતું નથી કે કેટલાક લોકો આ પ્રકારનું ઓવરરિએક્ટ કેમ કરી રહ્યા છે. અભિષેક મનુ સિંધવી અને કપિલ સિબ્બલ જેવા સીનિયર અને ફેમસ વકીલ આવી સામન્ય ફિલ્મ પર અરજી દાખલ કરવામાં પોતાનો સમય કેમ બરબાદ કરી રહ્યા છે? એ લોકો ફિલ્મથી ડરે છે કે ચોકીદાકના 'ડંડા'થી.આ પહેલા બોમ્બે હાઇ કૉર્ટે પણ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક પર રોગ લગાવતી અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ નક્કી થયું હતું કે ફિલ્મ હવે 5 એપ્રિલે રિલીઝ થશે.
આ પહેલા દિલ્હી હાઇ કોર્ટે પણ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ વાળી અરજીને ફગાવી દીધી હતી. અરજીકર્તાએ આદર્શ ચૂંટણી આચાર સંહિતાના લાગૂ થવાના આધાર પર ફિલ્મ પર રોક લગાવવાની માંગણી કરી હતી.