પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસને ભૂટાન પહોંચ્યાં છે. જ્યાં પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતના પાડોશી દેશ સાથેની નીતિને આગળ વધારવાના લઇને PM મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે ગયા છે. જ્યાં તેમને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા લોકો ભૂટાનની ગલીઓમાં ઉમટ્યા હતા. સેંકડો લોકો ભારત અને ભુતાનના ધ્વજ લઈને પારોથી થિમ્ફુ જતા રસ્તા પર ઉભા રહ્યા હતા. લોકોએ પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.
Prime Minister Narendra Modi receives a Guard of Honour in Paro, Bhutan. He was received by Bhutan Prime Minister Lotay Tshering on his arrival at Paro International Airport. pic.twitter.com/5Xh8tkR7gf
A memorable welcome in Bhutan! This is a land blessed with natural beauty and wonderful people. There is immense enthusiasm here and the people of Bhutan want to see the India-Bhutan friendship scale newer heights of success. @PMBhutanpic.twitter.com/ELNWjLGEL0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાન પહોંચીને ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા. પીએમ મોદીનું સ્વાગત કરવા ભારતીય સમુદાયના સેંકડો લોકો પહોંચ્યા હતા. ત્રિરંગો બધાના હાથમાં દેખાતો હતો.
Bhutan gives PM @narendramodi a very special welcome!
People from all walks of life, especially the youth, have been welcoming the Prime Minister, showcasing the warm Bhutanese hospitality. pic.twitter.com/Uuqo7TBa6b
આ પહેલા 2014માં પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે પહેલી વિદેશ યાત્રા ભૂટાનની કરી હતી. PM મોદીના બે દિવસના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 10 કરાર પર સમજૂતી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 5 પરિયોજનાનું ઉદ્ધાટન કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, મેંગદેછૂ પન વિજળી પરિયોજનાનું પણ આ દરમિયાન ઉદ્ધાટન કરવામાં આવે તેવી શક્યતા છે. મોદી એક કાર્યક્રમમાં ભારતીય રુપે કાર્ડને પણ ત્યાં લોન્ચ કરશે. આ પહેલાં રુપે કાર્ડ સિંગાપોરમાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
ઈસરોના એક ગ્રાઉન્ડ સ્ટેશનનું પણ કરશે ઉદ્ધાટન
PM મોદી ઈસરોના એક ગ્રાઉન્ડ સ્ટેશનનું પણ ઉદ્ધાટન કરશે. આ પ્રવાસ પહેલાં PM મોદીએ કહ્યું હતું કે, ભૂટાનના નેતૃત્વ સાથે વાતચીત સાર્થક રહેશે અને તેનાથી બંને દેશોની મિત્રતા વધારે મજબૂત થશે. બીજા કાર્યકાળની શરૂઆતમાં આ યાત્રાથી ખ્યાલ આવ્યો છે કે ભારત તેમના પડોશી દેશ ભૂટાન સાથેના સંબંધોને કેટલું મહત્વ આપે છે.