વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 'માટી બચાવો આંદોલન' પરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પીએમ મોદીનું સંબોધન
માટી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ થયો
પીએમ મોદીએ માટીને બચાવવા માટે પાંચ મોટી વાત કહી
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 'માટી બચાવો આંદોલન' પરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદી હાલમાં 'માટી બચાવો આંદોલન' સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. અહીં પીએમે કહ્યું કે, પહેલા આપણા દેશના ખેડૂત પાસે તેની જમીન કેવા પ્રકારની છે, તેની જમીનમાં શું ખામી છે, કેટલી છે તેની માહિતીનો અભાવ હતો. આ સમસ્યાને દૂર કરવા માટે દેશમાં ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવા માટે એક વિશાળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે, પર્યાવરણના રક્ષણ માટે ભારતના પ્રયાસો બહુપક્ષીય રહ્યા છે. જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા નહિવત છે, ત્યારે ભારત આ પ્રયાસ કરી રહ્યું છે. વિશ્વના મોટા આધુનિક દેશો માત્ર પૃથ્વીના વધુને વધુ સંસાધનોનો નાશ કરી રહ્યા નથી, પરંતુ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન તેમના ખાતામાં જાય છે. આ કાર્યક્રમ અંગે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, માટી બચાવો આંદોલન એક વૈશ્વિક પહેલ છે, જેનો હેતુ લોકોને જમીનના બગડતા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો અને તેને સુધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે.
Today, India has achieved 10% ethanol blending in petrol 5 months ahead of its target: PM Modi at 'Save Soil Movement' program pic.twitter.com/UyfWO2MXHj
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ માટી બચાવવા માટે પાંચ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે, આપણે સૌ પ્રથમ એ વાત પર ભાર મૂકવો જોઈએ કે, જમીનને કેમિકલ મુક્ત કેવી રીતે બનાવી શકાય. આ પછી, તેમણે જમીનમાં રહેલા સજીવને બચાવવા અને જમીનનો ભેજ જાળવી રાખવાની વાત કરી. તેમણે કહ્યું કે, ભૂગર્ભજળ ઓછા હોવાને કારણે જમીનને જે નુકસાન થઈ રહ્યું છે, તેને કેવી રીતે દૂર કરવું તે અંગે પણ વિચાર કરવો જોઈએ. તેમજ વન આવરણ ઘટવાથી જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું.
Delhi | India is making many efforts for environment conservation when India's role in climate change is negligible: PM Modi at 'Save Soil Movement' program pic.twitter.com/Yqkk0mCK85
સદગુરુ જગ્ગી વાસુદેવે 'માટી બચાવો આંદોલન' શરૂ કર્યું
સેવ સોઇલ મૂવમેન્ટ આ વર્ષે માર્ચમાં સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેઓ 27 દેશોમાંથી પસાર થતી 100 દિવસની મોટરસાઇકલ યાત્રા પર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 5 જૂન, 2022 તેમની મુલાકાતનો 75મો દિવસ હશે. તેમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં મોદીની સહભાગિતા ભારતમાં જમીનના સ્વાસ્થ્યને સુધારવા માટે સહિયારી ચિંતાઓ અને પ્રતિબદ્ધતાઓને પ્રતિબિંબિત કરશે. આ સિવાય પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક પહેલ 'લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ' (લાઇફ) અભિયાનની પણ શરૂઆત કરશે.