બંગાળમાં વર્ધમાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે બંગાળમાં 4 તબક્કામાં થયેલા મતદાનમાં ભાજપને 100 જેટલી બેઠકો મળી છે.
બંગાળમાં અત્યાર સુધી 4 તબક્કાની ચૂંટણી થઈ
4 તબક્કામાં ભાજપને 100 બેઠકો મળી-પીએમ મોદી
બંગાળના લોકોએ એટલા ચોગ્ગા ફટકાર્યાં કે ભાજપની બેઠકોની સદી થઈ
પીએમ મોદીએ કહ્યું કે અડધી ચૂંટણીમાં મતદારોએ ટીએમસીને સાફ કરી દીધી છે.મોદીએ કહ્યું કે ટીએમસી સુપ્રીમો મમતા બેનરજી પર લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. મમતા દીદીને હાર દેખાઈ રહી છે. દીદીનો ક્રોધ, તેમનો ગુસ્સો, તેમનું રઘવાયાપણું દિનપ્રતિદિન વધી રહી છે. જાણો છો કેમ, હું કહું, કારણ કે બંગાળમાં થયેલી અડધી ચૂંટણીમાં તમે ટીએમસીના સુપડા સાફ કરી નાખ્યાં છે. એટલે કે અડધી ચૂંટણીમાં ટીએમસી પૂરી સાફ, 4 તબક્કાની ચૂંટણીમા બંગાળની જાગૃત જનતાએ એટલા ચોગ્ગા ફટકાર્યાં કે ભાજપની બેઠકોની સદી થઈ છે જેઓ તમારી સાથે રમત કરવાનું વિચારી રહ્યાં હતા તેમની સાથે રમત થઈ ગઈ છે.
Sujata Mandal of Trinamool, close to Mamata Banerjee, blatantly accuses the Scheduled Caste community of Bengal as “beggars by nature”.
Can the people of Bengal give TMC a befitting reply and throw them out of power? Dalit Samaaj (Rajbanshi, Matuas, Namasudras) deserves better. pic.twitter.com/bJT4acPiCN
મોદીએ કહ્યું કે એક તો નંદીગ્રામમાં બંગાળના લોકોએ દીદીને ક્લિન બોલ્ડ કરી દીધા એટલે કે બંગાળમાં દીદીની પારી પૂરી થઈ છે. બંગાળના લોકોએ દીદીનો બહુ મોટો પ્લાન ફેલ કરી દીધો છે. બંગાળની જનતા ઘણી સમજદાર છે. અહીંના લોકો ઘણા દીર્ઘ દ્રષ્ટિવાળા છે. દીદી તૈયારી કરીને બેઠા છે કે પાર્ટીની કેપ્ટનશીપ ભાઈઓને સોંપશે, પરંતુ દીદીનો આ ખેલ પણ લોકોની સમજમાં આવી ગયો છે અને તેમનો ખેલ અધૂરો રહ્યો છે.મોદીએ કહ્યું કે મમતા દીદીને આ ખબર છે કે જે પાર્ટી બંગાળમાં એક વાર ગઈ તે ફરી પાછી નહીં આવે. દીદીને એ પણ ખબર છે કે અહીંથી એક વાર કોંગ્રેસ ગઈ જે પછી ક્યારેક પણ પાછી નહીં આવે. દીદી તમે પણ એક વાર ગયા પછી અહીં પરત નહીં આવો.
મમતાએ દલિતોનું મોટું અપમાન કર્યું
પીએમ મોદીએ મમતા બેનરજી પર દલિતોના અપમાનનો આરોપ લગાવતા કહ્યું કે દીદીના લોકોએ બંગાળમાં એસસીના આપણા ભાઈ-બહેનોને ગાળો આપવા લાગ્યાં છે. તેઓ તેમને ભીખારી કહેવા લાગ્યાં છે. હાલમાં 14 એપ્રિલે બાબાસાહેબની જન્મજયંતિ છે. જન્મજયંતિ પહેલા દીદી અને ટીએમસીએ બાબાસાહેબ આંબેડકરનું આટલું મોટું અપમાન કર્યું છે. ટીએમસીની મોટી હાર થવા જઈ રહી છે. દીદી અને તેમની ગિરોહની વાત જણાવે છે કે બંગાળના લોકો તેમને કેટલી નફરત કરી રહ્યાં છે.