PM મોદીએ મંગળવારે ભાજપની પાર્લિયામેન્ટ્રી પાર્ટીની બેઠક દરમિયાન કોરોનાને લઈને સરકાર પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપ્યો છે.
મહામારીમાં લોકો બિમારીથી ઓછા અને ભૂખથી વધારે મરે
પીએમ મોદીએ ભાજપમાં સાંસદોએ સલાહ આપી
પીએમએ કોંગ્રેસ પર નિશાનો સાધ્યો
મહામારીમાં લોકો બિમારીથી ઓછા અને ભૂખથી વધારે મરે
મોદીએ કહ્યું છે કે જ્યારે મહામારી થાય છે ત્યારે લોકો બિમારીથી ઓછા અને ભૂખથી વધારે મરે છે. પરંતુ અમે કોઈને ભૂખ્યા નથી રહેવા દીધા અને 80 કરોડ લોકોને સતત રાશન આપ્યુ છે.
પીએમ મોદીએ ભાજપમાં સાંસદોએ સલાહ આપી
ભાજપે પાર્લામેન્ટ્રી પાર્ટી બેઠકમાં પીએમે પાર્ટીના સાંસદોને સલાહ આપી કહ્યુ કે સત્ય એટલે સરકારના કામને જનતા સુધી પહોંચાડો. સત્યને જનતા સુધી પહોંચાડવુ એ આપણી પ્રાથમિક્તા છે. કોરોના વાયરસ આપણા માટે રાજનીતિ નહીં પણ માનવતાનો વિષય છે.
જનતાને જણાવો ભારત અને અન્ય દેશોની સ્થિત
પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું કે તમે લોકોને કોરોના વાયરસની વિરુદ્ધ ભારત કેવી રીતે લડ્યો અને દુનિયાની શું સ્થિતિ રહી તે અંગે સરખામણી કરી જણાવો. આ સાથે પીએમ મોદીએ મોનસૂન સત્ર દરમિયાન તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા કહ્યું.
પીએમએ કોંગ્રેસ પર નિશાનો સાધ્યો
બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસની ઉપર નિશાન સાધી કહ્યું કે કોંગ્રેસ તમામ જગ્યા ખતમ થઈ ગઈ છે. પરંતુ તેમને પોતાની ચિંતા નથી અને અમારી ચિંતા છે. કેરળ બંગાળ અને આસામમાં હાર્યા બાદ પણ તેમની ઉંઘ નથી ઉડી રહી.
દેશમાં રસીની અછત નથી -પીએમ
પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં કહ્યુ કે દિલ્હીમાં 20 ટકા ફ્રન્ટ લાઈન વોરિયર્સ પણ હવે વેક્સીનેટેડ નથી થયા. તેની સાથે તેમણે કહ્યું કે દેશમાં કોરોનાની રસી ઓછી નથી થઈ. આને લઈને નકારાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.