પાંચ રાજ્યોમાં ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે પીએમ મોદી ચૂંટણીમાં ભાજપ તરફથી બાજી સાંભળવા માટે મેદાનમાં આવી ગયા છે.
પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલા પીએમ મોદી આક્રમક મોડમાં
બંગાળ અને અસમમાં પીએમ મોદીની રેલી
કોંગ્રેસ સત્તામાં આવવા માટે ચાને બદનામ કરી રહી છે : મોદી
કોંગ્રેસનું મહાજૂઠ માત્ર લૂંટને મંજૂરી આપે છે : મોદી
પાંચ રાજ્યોમાં ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે પીએમ મોદી ચૂંટણીમાં ભાજપ તરફથી બાજી સાંભળવા માટે મેદાનમાં આવી ગયા છે. આજે પશ્ચિમ બંગાળમાં રેલીને સંબોધિત કર્યા બાદ તેમણે અસમમાં પણ સભા કરી હતી. અસમમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર હુમલાઓ કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ વોટ માટે કઈં પણ કરી શકે છે. કોઈને પણ સાથે લાવી શકે છે અને કોઈને પણ દગો આપી શકે છે. કોંગ્રેસનું મહાજૂઠ માત્ર લૂંટને મંજૂરી આપે છે.
સત્તા માટે ચાને પણ બદનામ કરી શકે છે કોંગ્રેસ : મોદી
પીએમ મોદીએ કહ્યું કે અસમમાં કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે માત્ર ખુરશી બચાવવાનું કામ કર્યું. લોકોનું કોઈ કામ કરવામાં આવ્યું નથી. કોંગ્રેસ સત્તામાં આવવા માટે કઈં પણ કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનું મહાજૂઠ ભ્રષ્ટાચારને ગેરંટી આપે છે. એક એવું મહાજૂઠ છે જે સત્તા માટે અસમના ગૌરવને અસમની ચાને પણ આખી દુનિયામાં બદનામ કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે અસમની ચાને પણ કોંગ્રેસે દુનિયાભરમાં બદનામ કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ભાજપે અસમ માટે જે ચૂંટણી ઢંઢેરો આપ્યો છે તે અનુસાર અસમની સંસ્કૃતિને વધારવાની સાથે સાથે રાજ્યએન આત્મનિર્ભર બનાવવા માટે વાયદો કરવાં આવ્યો છે.
પીએમ મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં મેદીનાપૂરમાં પણ રેલીને સંબોધીત કરી હતી. રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ આજે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હવે બંગાળમાં બધી બાજુએથી અવાજ આવી રહી છે, 2 મેએ દીદી જઈ રહ્યા છે.
નંદીગ્રામના સંગ્રામમાં પીએમ મોદીની હુંકાર
નોંધનીય છે કે નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે નંદીગ્રામના સંગ્રામમાં આજે પીએમ મોદી મેદાનમાં આવ્યા હતા. નંદીગ્રામને અધિકારી પરિવારનો ગઢ માનવામાં આવી રહ્યો છે ત્યારે મમતા બેનર્જીનો પણ દાવો છે કે તેઓ આ બેઠક પર જીત હાંસલ કરશે.
બંગાળને પરિવર્તનની જરૂર
પીએમ મોદીએ કહ્યું કે બંગાળને હવે પરિવર્તનની જરૂર છે. 2જી મેના રોજ બંગાળ અને વિકાસની વચ્ચે જે દીવાલ આવી ગઈ છે તે તૂટી જશે. અહિયાં ભાજપની સરકાર બનશે અને ખેડૂતોના હકના 3 વર્ષના પૈસા હું જમા કરાવીને જ રહીશ. છેલ્લા ત્રણ વર્ષમાં જે પૈસા દીદીએ નથી આપ્યા તે હું ખેડૂતોને આપીશ. દિલ્હીની સરકાર આ પૈસા ખેડૂતોના ખાતામાં આપવા માંગતી હતી પરંતુ દીદીએ એવું થવા જ ન દીધું.
દીદી હિસાબ નથી આપી રહ્યા હિસાબ
પીએમ મોદીએ કહ્યું કે મમતા દીદીને તમે 10 વર્ષ કામ કરવાનો મોકો આપ્યો. તેમણે તમારી વચ્ચે આવવું જોઈએ અને હિસાબ આપવું જોઈએ. પરંતુ દીદી હિસાબ નથી આપી રહ્યા તે ગુસ્સો કરી રહ્યા છે અને ગાળો આપી રહ્યા છે.