ગુજરાતમાં ગોવાની મજા માણી શકાશે. આવતી 21મી માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદામાં ક્રૂઝ બોટની સર્વિસને હરી ઝંડી આપશે. આદિવાસી ડાન્સ અને નદીમાં ક્રૂઝની અંદર તમે નાસ્તા પાણી અને ભોજનની જયાફત ઉડાવી શકશો.
નર્મદાના કેવડિયાનો ગોરા બ્રીજ ડૂબ્યો
નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ગોરા બ્રીજ ડૂબ્યો
ક્રુઝ બોટ ચલાવવા માટે નદીમાં પાણી છોડાયું
21 માર્ચે PM મોદી ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા આવનાર પ્રવાસીઓ હવે ક્રૂઝ બોટની મજા પણ માણી શકશે. જી હાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે પ્રવાસીઓના આકર્ષણમાં વધારો કરતુી ક્રૂઝ બોટ ઉમેરાય છે. આ ક્રૂઝ બોટનું આજે ટેસ્ટિંગ કરાયું હતું . 21 માર્ચે પીએમ મોદીના હસ્તે ક્રૂઝ બોટને ખુલ્લી મૂકવાનું આયોજન છે.
ગોરા બ્રીજ ડૂબ્યો
નર્મદાના કેવડિયાનો ગોરા બ્રીજ ડૂબ્યો છે. નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ગોરા બ્રીજ ડૂબ્યો છે. ક્રુઝ બોટ ચલાવવા માટે નદીમાં પાણી છોડાયું છે. 21 માર્ચે PM મોદી ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે.
ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમીના અંતરમાં ચલાવવામાં આવશે, જેમાં રાત્રી દરમ્યાન સ્ટેજ પર આદિવાસી ડાન્સ, સાથે ગીત સંગીત પણ હશે, જેથી બોટમાં બેસેલા પ્રવાસીઓને આનંદ મળી રહે.
કેવી હશે ક્રુઝમાં સુવિધા?
એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા
ક્રુઝ બોટ 6 કિલોમીટર ફેરવવામાં આવશે
ગરુડેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓ માટે 4 કલાકનો ફેરો
સ્ટેજ પર આદિવાસી ડાન્સ સાથે ગીત સંગીત દ્વારા મનોરંજ