દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. બદ્રીનાથ ધામમાં પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદી ભારત-ચીન સીમા પર આવેલા માના ગામમાં પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે
ભારત-ચીન સીમા પર આવેલા માના ગામમાં સભા
નવા પ્રોજેક્ટ અને રોપવેનો શિલાન્યાસ કર્યો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. બદ્રીનાથ ધામમાં પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદી ભારત-ચીન સીમા પર આવેલા માના ગામમાં પહોંચ્યા હતા. અહીં તે સરસના મેળામાં ગયા અને સ્થાનિક ઉત્પાદનો વિશે પૂછપરછ કરી. ત્યારબાદ તેમણે માના ગામમાં એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે બાબાના સાનિધ્યમાં છેલ્લે બાબાના આદેશ પર આવ્યો હતો, ત્યારે મારા મોઢામાંથી કેટલાક શબ્દો નીકળ્યા હતા, જે શબ્દો મારા નહોતા, પરંતુ એમ જ નીકળી ગયા હતા કે આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. મને વિશ્વાસ છે કે બાબાના નિરંતર આશીર્વાદ આ શબ્દો પર રહેશે.
'હું આજે એ જ સંકલ્પનું પુનરાવર્તન કરવા આવ્યો છું'
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "હું ભાગ્યશાળી છું, આજે હું નવા પ્રોજેક્ટ્સ સાથે ફરીથી એ જ સંકલ્પનું પુનરાવર્તન કરવા આવ્યો છું. પીએમે વધુમાં કહ્યું કે માના ગામને ભારતના છેલ્લા ગામ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સીએમે કહ્યું તેમ, હવે મારા માટે પણ સરહદ પરનું દરેક ગામ દેશનું પહેલું ગામ બની ગયું છે. પીએમ એ કહ્યું કે "હું આજે માના ગામની જૂની યાદોને તાજી કરવા માંગુ છું. 25 વર્ષ પહેલા હું ઉત્તરાખંડમાં ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, ત્યારે હું સંગઠનમાં સામેલ થતો હતો. એ વખતે મેં માનામાં ઉત્તરાખંડના ભાજપ કાર્યસમિતિની બેઠક બોલાવી હતી. લોકો મારા પર ગુસ્સે થયા હતા કે મારે આટલે સુધી દુર જવું પડશે. મેં કહ્યું કે માનાનું મહત્વ જરૂરી છે. તેનું પરિણામ એ છે કે આજે સતત આશીર્વાદ બની રહ્યા છે."
લોકો કલ્ચરને પોતાના સાથે જોડતા થયા
પીએમ મોદીએ કહ્યું કે, "આજે મને શ્રમીક ભાઈ-બહેનો સાથે વાત કરીને સારું લાગ્યું. તેમનું કહેવું છે કે અમે કોઈ રોડ બિલ્ડિંગની પૂજા નથી કરી રહ્યા, બાબાની પૂજા કરી રહ્યા છીએ. આઝાદીના 75 વર્ષ પછી પણ આપણો દેશ ગુલામીની સાંકળથી એવી રીતે જકડાયેલો છે કે આપણી સંસ્કૃતિને લઈને નફરત, લઘુતાગ્રંથિની ભાવના જાગે છે, આઝાદી પછી સોમનાથ મંદિરના નિર્માણ સમયે શું થયું હતું, તે આપણે સૌ જાણીએ છીએ. પીએમે કહ્યું કે આ લોકો વિદેશોમાં ત્યાંના કલ્ચર સાથે જોડાયેલા સ્થળોના વખાણ કરતા થાકતા નહોતા, પરંતુ ભારતમાં આ કામને નીચું જોવામાં આવતું હતું. તેમણે કહ્યું કે લાંબા સમયથી અમારા આસ્થાના સ્થળોના વિકાસને લઈને અમને નફરતની ભાવના હતી. તેમણે કહ્યું હતું કે, આ શ્રદ્ધાનાં કેન્દ્રો માત્ર એક માળખું જ નથી, પણ આપણાં માટે જીવનશક્તિ સમાન છે. તેમણે કહ્યું, "તે અમારા માટે એક એવી શક્તિ છે, જે સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ આપણને જીવંત રાખે છે."
Kedarnath and Badrinath are significant to our ethos and traditions. https://t.co/68IErTo24N
પ્રધાનમંત્રી મોદીએ ઇઝ ઓફ લિવિંગનો ઉલ્લેખ કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આસ્થા અને આધ્યાત્મિકતાના સ્થળોના આ પુનર્નિર્માણનું એક બીજું પાસું પણ છે, જેની બહુ ચર્ચા કરવામાં આવતી નથી. પહાડના લોકોના જીવનની સરળતા, પહાડના યુવાનોની રોજગારીનું આ પાસું છે. તેઓએ કહ્યું "જ્યારે રેલ, રોડ અને રોપ-વે પહાડ પર પહોંચે છે, ત્યારે તેઓ તેમની સાથે રોજગાર લાવે છે. જ્યારે રેલ-રસ્તા અને રોપ-વે પહાડ સુધી પહોંચે છે, ત્યારે તે પહાડનું જીવન પણ સરળ બનાવે છે.
પહેલા સરહદી ગામોની અવગણના થતી હતી- મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "પહેલા દેશની સરહદોના અંત તરીકે જે ક્ષેત્રોને અવગણવામાં આવતા હતા, અમે સમૃદ્ધિની શરૂઆત તરીકે ત્યાંથી કામ કરવાનું શરૂ કર્યું હતું. અગાઉ, દેશના છેલ્લા ગામને જાણતા હતા જેની અવગણના કરવામાં આવી હતી, અમે ત્યાંના લોકોની અપેક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અગાઉ, દેશના વિકાસમાં જેમના યોગદાનને મહત્વ આપવામાં આવતું ન હતું, અમે તેમને સાથે લઈને ચાલવાનો અને પ્રગતિના મહાન લક્ષ્યો તરફ આગળ વધવાનો સંકલ્પ કર્યો.
રોપ વેથી રોજગારી મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા લોકો આપણી આ શક્તિને ઓળખતા નથી, ઉત્તરાખંડની આ દેવ ભૂમિ આની સાક્ષી બની રહી છે. રોપ-વે પ્રોજેક્ટથી કેદારનાથની મુલાકાત લેવામાં સરળતા રહેશે. શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રોનું ગૌરવ પાછું ફરી રહ્યું છે." તેમણે કહ્યું કે, મને દરેક ગામમાં વીજળી પહોંચાડવાનો લહાવો મળ્યો છે. આ સાથે જ ઉત્તરાખડના 65 ટકા ઘરોમાં પાણી પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે હિમાલયની લીલીછમ પહાડીઓ પર ટ્રેનનો અવાજ ઉત્તરાખંડના વિકાસની નવી ગાથા લખશે. દહેરાદૂન એરપોર્ટ પણ હવે નવા અવતારમાં સેવા આપી રહ્યું છે. ચારધામ ઓલ વેધર રોડ ઉત્તરાખંડના લોકો તેમજ પ્રવાસીઓ અને ભક્તોને એક નવી અનુભૂતિ આપી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે આધુનિક કનેક્ટિવિટી પણ રાષ્ટ્રીય સંરક્ષણની ગેરંટી છે. એટલે જ છેલ્લા 8 વર્ષમાં અમે એક પછી એક પગલા ભરી રહ્યા છીએ. ભારતમાલા હેઠળ દેશના સરહદી વિસ્તારોને શ્રેષ્ઠ અને પહોળા હાઇવે સાથે જોડવામાં આવી રહ્યા છે. સાગરમાલાની તેના સમુદ્ર કિનારા સાથેની કનેક્ટિવિટીને મજબૂત કરવામાં આવી રહી છે.