સમગ્ર દેશ જ્યારે ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું હતું કે ચંદ્રયાન 2નું સફળ લૅન્ડિંગ ચંદ્ર પર થાય. પરંતુ 7 સપ્ટેમ્બરે બેંગલુરુથી આશા પ્રમાણેના સમાચાર મળ્યાં નહીં. ઐતિહાસિક પળને પોતાની નજરે જોવા માટે PM નરેન્દ્ર મોદી પણ ISRO સેન્ટર પહોંચ્યા હતાં. મોડી રાત્રે 1.51 વાગ્યે આશરે વિક્રમ લૅન્ડર સાથે લૅન્ડિંગ સમયે ISRO નો સંપર્ક તૂટી ગયો હતો.
વૈજ્ઞાનિકોની નજર પણ કમ્પ્યૂટર સ્ક્રીન્સ પર ચંદ્ર પરથી સંકેતોની રાહ જોઈ રહ્યાં હતાં. અહીં આશરે 70 વિદ્યાર્થીઓ પણ પીએમ મોદી સાથે આ ક્ષણને જોવા આવ્યાં હતાં. પરંતુ અચાનક એવું બન્યું કે વૈજ્ઞાનિકો સહિત હાજર સૌ કોઈના મનમાં ચિંતા વધી ગઈ. કારણ કે ઘટના જ એવી બની હતી. લૅન્ડર વિક્રમ સાથે ચંદ્રની સપાટીથી લગભગ 2.1 કિ.મી દૂર અંતિમ ક્ષણોમાં સંપર્ક અચાનક તૂટી ગયો. આ સંપર્ક એક વખત તૂટી ગયો અને સંપર્ક થવાની રાહ જોતા રહ્યાં. વૈજ્ઞાનિકોના ચહેરા ઉદાસ થઈ ગયાં.
Bengaluru: Prime Minister Narendra Modi with the students from across the country, who were selected through ISRO's 'Space Quiz' competition to watch the landing of #VikramLander along with PM. pic.twitter.com/wLaPovy8tK
થોડો સમય વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક થવાની આશા સાથે ઈસરો તેમ જ PM મોદીએ રાહ જોઈ. ત્યાર બાદ આખરે કે.શિવન અને અન્ય વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પરિસ્થિતિથી વાકેફ કર્યા અને પ્રધાનમંત્રી મોદીએ થોડો સમય રાહ જોઈ ISRO મુખ્યાલયથી વિદાય લેવાનું નક્કી કર્યું. પીએમ મોદીએ જતી કે.શિવનની પીઠ થપાવતા હિંમત રાખવાનું કહ્યું હતું. તેમ જ અન્ય વૈજ્ઞાનિકોનો જુસ્સો પણ વધારતાં કહ્યું હતું હું અને આખો દેશ તમારી સાથે છીએ. તમારી આ સિદ્ધિ પણ કંઈ ઓછી નથી અને આપણે આ પ્રયાસ આગળ પણ ચાલુ રાખીશું.
કેમ પ્રધાનમંત્રી નથી બનવું? : PM નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રીએ નીકળતી વખતે અહીં આવેલા વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમની સાથે પણ ભવિષ્યમાં આગળ કેવી રીતે વધતા રહેવું તેની વાત કરી હતી. આ દરમ્યાન એક વિદ્યાર્થીએ તેમને સવાલ પૂછ્યો હતો કે જો મારે પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા બનવું હોય તો શું કરવું જોઈએ. આ સાંભળતા જ પીએમ મોદીએ મજાક કરીને બાળકને પૂછ્યું કે પ્રેસિડેન્ટ જ કેમ... પ્રધાનમંત્રી કેમ નથી બનવું? આટલું બોલીને પ્રધાનમંત્રી હસવા લાગ્યાં હતાં. મહત્વનું છે કે, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદી ઈસરો સેન્ટર પરથી રવાના થયા હતાં.