આસામમાં પીએમ મોદીના ભાષણ દરમિયાન એક કાર્યકર્તા અચાનક જ બેભાન થઈ ગયો હતો.
આસામમાં પીએમ મોદીની સભા દરમ્યાન બની ઘટના
એક કાર્યકર્તા થઈ ગયો બેભાન
પીએમ મોદીએ તુરત જ મેડિકલ ટીમને આપ્યા આદેશ
પીએમ મોદીએ ભાષણ અટકાવ્યું
આસામમાં ત્રીજા ચરણની ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદાન પહેલા પ્રધાણાંત્રની મોદીએ આજે તામુલપુરમાં સભાને ગજવી હતી જેમાં એક સમય એવો આવ્યો કે પીએમ મોદીએ પોતાનું ભાષણ અધવચ્ચે અટકાવી દેવું પડ્યું. પીએમ મોદી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ પાર્ટીનો એક કાર્યકર્તા બેભાન થઈ ગયો. પીએમ મોદીની નજર તે કાર્યકર્તા પર પડી તો તરત તેમણે મેડિકલ ટીમને ત્યાં પહોંચી જવા માટે આદેશ આપ્યો.
પોતાની સાથે આવેલા ડૉક્ટરોને મોકલ્યા
મંચ પર ભાષણ અટકાવીને પીએમ મોદીએ કહ્યું કે જે મેડિકલ ટીમ મારા સાથે આવી છે તરત ત્યાં પહોંચે, પાણીના અભાવમાં એક કાર્યકર્તાને કઇંક તકલીફ પડી છે. મારા સાથે જે ડૉક્ટરો આવેલા છે તે તરત આ અમારા સાથીની મદદ કરે. અમારા બંધુને પાણીના અભાવમાં તકલીફ પડી છે.
પીએમ મોદી પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે ધમાકેદાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે આસામમાં પીએમ મોદીએ સેક્યુલરીઝમ પર જોરદાર હુમલો કર્યો છે. સેક્યુલરીઝમ પર કટાક્ષ કરતાં PM મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકો એવી વાતો ચલાવી રહ્યા છે જો સમાજમાં ભેદભાવ કરીને સમાજના ટુકડા કરીને પોતાના વૉટબેંક માટે કઈં આપો તો દુર્ભાગ્ય તો જુઓ આ વસ્તુને દેશમાં સેક્યુલેરીઝમ કહેવામાં આવે છે. પરંતુ જો અમારા જેવા બધા માટે કામ કરે, ભેદભાવ ન કરે, વિકાસ બધાને આપીએ તો અમે સાંપ્રદાયિક. સેક્યુલરીઝમ- કમ્યુનલિઝમની આ રમતે દેશનું બહુ નુકસાન કરી નાંખ્યું છે. અમે પરિશ્રમ કરનારા લોકો છીએ.
અમે લોકો પરિશ્રમ કરનારા : મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમે લોકો પરિશ્રમ કરનારા લોકો છીએ. સમાજની સેવા માટે દિવસ રાત લાગેલા લોકો છીએ. અમે વિકાસ માટે ઈમાનદારીથી કામ કરનારા લોકો છીએ. આસામના લોકોએ આજે જોઈ રહ્યા છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ એ મારી નીતિ પણ અને નિયત પણ છે.
આસામનું અપમાન કરનારાને પ્રજા માફ નહીં કરે : મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમે જ્યારે પણ કોઈ યોજના બનાવીએ છે ત્યારે દરેક ક્ષેત્રના લોકોને ભેદભાવ અને પક્ષપાત વગર યોજનાનો લાભ માટે માટે અમે મહેનત કરીએ છે. જો અમે કોઈ પણ ભેદભાવ વગર કામ કરીએ તો અમે સાંપ્રદાયિક છીએ. સેક્યુલરીઝમની રમતે દેશનું ખૂબ નુકસાન કર્યું છે. આસામનો વિકાસ લોકો વચ્ચે કનેક્ટિવિટી વધારી રહ્યો છે. આસામમાં વિકાસ થઈ રહ્યો છે અને યુવાનો માટે અવસર ઊભા થઈ રહ્યા છે. આસામની ઓળખાણનું અપમાન કરનારા લોકોને આ પ્રજા માફ નહીં કરે. આસમાને હિંસામાં નાંખી દેનાર લોકોને પ્રજા ક્યારેય સ્વીકાર નહીં કરે.