15 ઑગસ્ટના ભાષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતા પાસે સૂચનો માગ્યા છે. લોકો નમો એપ પર વિશેષ રૂપથી બનાવવામાં આવેલ ઓપન ફોરમમાં પોતાના સૂચનો આપી શકે છે.
આ વખતે 15 ઑગસ્ટના દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ છે. આ મોદી સરકારનો બીજા કાર્યકાળનો પહેલો સ્વતંત્રતા દિવસ છે. એને યાદગાર બનાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે પીએમ મોદીએ લોકોને 15 ઑગસ્ટે થનારા પોતાના ભાષણ માટે સૂચનો માગ્યા છે. પીએમ એ એના માટે શુક્રવારે ટ્વિટ કર્યું.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરતાં કહ્યું, 'મને મારા 15 ઑગસ્ટના ભાષણમાં તમારા દરેકના બહુમૂલ્ય સૂચનોને સામેલ કરવામાં ખુશી થશે.' એમને લોકોને સૂચન આપવાની અપીલ કરતાં કહ્યું કે લાલ કિલ્લા પરથી 130 કરોડ ભારતી. તમારો વિચાર સાંભળશે. મોદીએ લખ્યું, 'તમે નમો એપ પર વિશેષ રૂપથી બનાવવા આવેલ ઓપન ફોરમમાં પોતાના સૂચન આપો.'
I am delighted to invite you all to share your valuable inputs for my speech on 15th August.
Let your thoughts be heard by 130 crore Indians from the ramparts of the Red Fort. Contribute on the specially created Open Forum on the NaMo App. https://t.co/seiXlFciCYpic.twitter.com/5OmhYIRVYB
નમો એપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સત્તાવાર એપ છે, એને લાખો લોકોએ ડાઉનલોડ કરી રાખી છે. આ એપ તમને ત્યાં ન્યૂઝ એન્ડ કેટેગરીમાં મળશે એના દ્વારા પીએમ જનતાની સાથે સીધો સંવાદ કરે છે.
લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત પ્રાપ્ત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી એમનું આ પહેલું ભાષણ હશે. જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2019માં 542 સીટો પર વોટિંગ થયું હતું. એમાં ભાજપ ગઠબંધને 352 સીટો પર જીત દાખલ કરીને વધારે બહુમતિ મેળવી હતી.