પ્રધાનમંત્રી મોદીએ માતા હીરાબા સાથે મુલાકાત કરીને આશીર્વાદ લીધા, આવતીકાલે અમદવાદના રાણીપમાં કરશે મતદાન
PM મોદી અમદાવાદ ગુજરાતમાં
માતા હીરાબા સાથે પણ કરી કરી મુલાકાત
રાણીપ મતતદાન બૂથ પર PM મોદી કરશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે ગુજરાત આવી ગયા છે. તેમણે માતા હીરાબા સાથે મુલાકાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે ગુજરાત આવી ગયા છે. PM મોદીએ માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી ત્યાર બાદ તેઓ ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના થયાં હતાં જ્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
આવતીકાલે અમદાવાદમાં કરશે મતદાન
PM મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા આવશે. તેઓ આવતીકાલે અમદાવાદમાં મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8 વાગ્યે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. આ ઉપરાંત બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે PM મોદી ગુજરાતના નાગરિકોને અપીલ પણ કરશે. તેઓ માતા હીરા બા સાથે પણ મુલાકાત કરી છે.
બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
આવતીકાલે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે, જેમાં કુલ 833 ઉમેદવારો ચૂંટણી મેદાનની જંગમાં ઉતર્યા છે. જેમાં 764 પૂરૂષ અને 69 મહિલા ઉમેદવારો સમાવેશ થાય છે. 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન થશે, જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથકો છે. બીજા તબક્કામા 36 હજાર 439 બેલેટ યુનિટનો ઉપયોગ થશે અને 36 હજાર 439 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થવાનો છે.
40 હજાર 434 વીવીપેટનો ઉપયોગ થશે
બીજા તબક્કામાં 40 હજાર 434 વીવીપેટનો ઉપયોગ થશે તેમજ 29,062 પ્રિસાઈડિંગ ઓફિસર્સ ફરજ પર ખડેપગે રહેશે. તેમને જણાવી દઈએ કે, 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો છે જેમાં 1 કરોડ 29 લાખ 26 હજાર 501 પુરુષ મતદારો અને 1 કરોડ 22 લાખ 31 હજાર 335 મહિલા મતદારો છે.