પ્રધાનમંત્રી મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં લોકોને અપીલ કરતા કહ્યું કે, તે દૂરદર્શન પર પ્રસારિત થનારી સીરિયલ 'સ્વરાજ'ને જરુરથી જુએ.
પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું
દેશવાસીઓને પીએમ મોદીએ કરી આ અપીલ
સ્વરાજ સીરિયલ બાળકોને બતાવવા કહ્યું
પ્રધાનમંત્રી મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં લોકોને અપીલ કરતા કહ્યું કે, તે દૂરદર્શન પર પ્રસારિત થનારી સીરિયલ 'સ્વરાજ'ને જરુરથી જુએ. તેમણે લોકોને તેમના બાળકોને આ સીરિયલ બતાવાની અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે, 'સ્વરાજ' આઝાદીના આંદોલનનો ભાગ લેનારા નાયક-નાયકીઓની કહાની છે. દૂરદર્શન પર દર રવિવારે રાતના 9 કલાકે સ્વરાજનું પ્રસારણ થશે, જે આગામી 75 અઠવાડીયા સુધી ચાલશે.
પીએમ મોદીએ શું કરી અપીલ
પ્રધાનમંત્રીએ કહ્યું કે, દૂરદર્શન પર દર રવિવારે રાતના 9 કલાકે સ્વરાજ સીરિયલનું પ્રસારણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મને કહેવાયુ છે કે, આ સીરિયલનું પ્રસારણ 75 અઠવાડીયા સુધી થશે. મારો આગ્રાહ છે કે, આપ સમય કાઢીને તેને ખુદ પણ જુઓો અને પોતાના બાળકોને પણ તે જરુરથી બતાવો. સ્કૂલ-કોલેજ તેનું રેકોર્ડીંગ કરીને જ્યારે સોમવારે સ્કૂલ કોલેજ ખુલે તો, તેના વિશે વિશેષ કાર્યક્રમ બનાવી શકો છો. જેથી આઝાદીના આ મહાનાયકો પ્રત્યે આપણા દેશમાં એક નવી જાગૃતિ ફેલાય.
પીએમ મોદીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં આપ તમામ પત્રો, મેસેજ અને કાર્ડ્સે મારા કાર્યાલયને તિરંગામય કરી દીધું છે. મને ભાગ્યેજ કોઈ એક પત્ર મળ્યો હશે, જેમાં ઉપર તિરંગો અથવા આઝાદી સાથે જોડાયેલ વાત ન હોય. બાળકોએ, યુવાન સાથીઓએ તો અમૃત મહોત્સવ પર ખુબ સુંદર ચિત્રો અને કલાકારી બનાવીને પણ મોકલી છે.