શિક્ષક દિવસના અવસરે પીએમ મોદીએ PM-SHRI યોજના હેઠળ દેશની 14,500 સ્કૂલોને અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે.
શિક્ષક દિવસે પીએમ મોદીની મોટી જાહેરાત
દેશની 14,500 સ્કૂલોનો વિકાસ અને અપગ્રેડ થશે
પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઈઝિંગ ઈન્ડીયા યોજના હેઠળ સ્કૂલોનો વિકાસ થશે
સોમવારે શિક્ષક દિવસના અવસરે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓને સંબોધિત કર્યાં હતા. આ પ્રસંગે પીએમ મોદીએ દેશની 14,500 સ્કૂલોના વિકાસ અને અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી.
PM Narendra Modi announces the development and upgradation of 14,500 schools across India under the Pradhan Mantri Schools For Rising India (PM-SHRI) Yojana#TeachersDay2022pic.twitter.com/0uhh3Dv2Bw
PM-SHRI સ્કૂલો સર્વગ્રાહી પદ્ધતિથી શિક્ષણ આપશે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે PM-SHRI સ્કૂલો આધુનિક, પરિવર્તનશીલ અને સર્વાંગી પધ્ધતિથી શિક્ષણ આપશે. તેમણે કહ્યું કે PM-SHRI સ્કૂલો મોડલ સ્કૂલો બનશે જે નેશનલ એજ્યુકેશન પોલિસીની પૂરી ભાવના આત્મસાત કરી લેશે.
PM-SHRI યોજના હેઠળ કરાશે કામ
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઈઝિંગ ઈન્ડીયા યોજના હેઠળ 14,500 સ્કૂલોની કાયાપલટ કરવામાં આવશે.
નવી શિક્ષણ નીતિ ઘડવામાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન
રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ પુરસ્કાર મેળવનાર શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાથે પ્રધાનમંત્રી મોદીએ તેમના ભારોભાર વખાણ કર્યાં હતા. આ પ્રસંગે શિક્ષકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિને ઘડવામાં શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે ભારત એજ્યુકેશન સિસ્ટમને આગળ ધપાવવામાં સાચી દિશા તરફ જઈ રહ્યું છે.
વિદ્યાર્થીઓનું જીવન બદલવાનું છે
પીએમ મોદીએ કહ્યું કે આપણે ફક્ત વિદ્યાર્થીઓને શિક્ષિત જ નથી કરવાના પરંતુ તેમના જીવન પણ બદલવાના છે.
PM-SHRI schools will become model schools, encapsulating full spirit of National Education Policy (NEP): PM Narendra Modi
250 વર્ષ પહેલા આપણી પર રાજ કરનાર લોકોને પાછળ રાખ્યાં
ઈકોનોમી પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે ભારત બ્રિટનને ટપીને વિશ્વની પાંચમી મોટી ઈકોનોમી બન્યું છે. આ સિદ્ધિ મેળવવી વિશેષ છે કારણ કે 250 વર્ષ પહેલા આપણી પર રાજ કરનાર લોકોને આપણે પાછળ રાખી દીધા છે.
PM-SHRI schools will follow modern, transformational and holistic method of imparting education: Prime Minister Narendra Modi
15000 નવી સ્કૂલો બનાવવાની જાહેરાત થઈ હતી
ઉલ્લેખનીય છે કે સરકારે 12 જુન, 2022ના દિવસે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઈઝિંગ ઈન્ડીયા યોજના 15000 નવી સ્કૂલો બનાવવાની જાહેરાત કરી હતી.