આજે પીએમ મોદીએ 14 નેતાઓને દિલ્હી બોલાવ્યા છે અને તેમની સાથે બપોરે 3 વાગે ખાસ મુદ્દા પર બેઠક કરવાના છે જેને લઈને LoCથી લાલ ચોક સુધી અલર્ટ અપાયું છે.
પીએમ મોદીએ 14 નેતાઓને દિલ્હી બોલાવ્યા
બપોરે 3 વાગે ખાસ મુદ્દા પર બેઠક
LoCથી લાલ ચોક સુધી અલર્ટ અપાયું
આ 14 નેતાઓને પ્રધાનમંત્રીએ દિલ્હી બોલાવ્યા
પ્રધાનમંત્રી મોદીએ 24 મીએ એટલે કે આજે જમ્મુ કાશ્મીરના ટોચના 14 નેતાઓને દિલ્હી મળવા બોલાવ્યાં છે. પ્રધાનમંત્રીએ જે 14 નેતાઓને બેઠક માટે દિલ્હી બોલાવ્યાં છે તેમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ, ફારુક અબ્દુલા, તેમના પુત્ર ઉમર અબ્દુલા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ તથા પીડીપી નેતા મહેબૂબા મુફતી, પૂર્વ ઉપમુખ્યમંત્રી કોંગ્રેસ નેતા તારાચદ, પીપીપી લીડર હુસેન બેગ ભાજપ નેતા નિર્મલ સિંહ તથા કવિન્દ્ર ગુપ્તા, સીપીઆઈ નેતા મોહમ્મદ યુસુફ તારાગામી, જમ્મુ કાશ્મીર અપની પાર્ટી ચીફ અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, પેન્થર્સ પાર્ટીના ભીમસિંહ સામેલ છે.
LoCથી લાલ ચોક સુધી હાઈ એલર્ટ
પીએમ મોદી અને જમ્મૂ કાશ્મીરના નેતાઓની વચ્ચે દિલ્હીમાં થનારી સર્વદળીય બેઠક પહેલા કાશ્મીર ઘાટીમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ સાથે LoCથી લઈને લાલ કિલ્લા સુધી કડક સુરક્ષા રખાઈ છે. જમ્મૂ કાશ્મીરની સ્થિતિ પર કેન્દ્રીય એજન્સીની નજર પણ બની છે. સુરક્ષા એજન્સીઓએ આશંકા રાખી છે કે આતંકીઓ કોઈ ઘટનાને અંજામ આપી શકે છે. આ સિવાય પાકિસ્તાનની તરફથી પણ નિયંત્રણ રેખા પર કોઈ મુશ્કેલી આવી શકે છે.
કેન્દ્ર સરકારે 48 કલાકનું એલર્ટ આપી દીધું
પ્રધાનમંત્રી મોદીની બેઠકે ધ્યાનમાં લઈને આજે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા પણ બંધ રાખવાનો નિર્ણય લેવાઈ શકે છે. પ્રધાનમંત્રી મોદી કાશ્મીરી નેતાઓ સાથે બેઠક કરવાના હોવાથી સરહદે કે જમ્મુ કાશ્મીરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેન્દ્ર સરકારે 48 કલાકનું એલર્ટ આપી દીધું છે તથા સુરક્ષા દળોને સાબદા રહેવાનો ઓર્ડર કર્યો છે.
બેઠકમાં યુપી ચૂંટણી સહિત જમ્મુ કાશ્મીર અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સહિતના મોટા નેતાઓ બેઠકમાં સામેલ થશે. આ જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. વર્ષ 2019માં કલમ 370 ને ખતમ કરવા પર ઉભી થયેલી રાજનીતિક અવરોધને સમાપ્ત કરવા માટે પીએમનું આ પહેલુ મોટું પગલું છે.