વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 29 જાન્યુઆરીએ દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની આજુબાજુ IED બ્લાસ્ટ થયા બાદ તેમના ઇઝરાઇલી સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી.
પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂએ કરી વાતચીત
કોવિડ 19ની સ્થિતિ અંગે પણ કરી મહત્વની ચર્ચા
ભારતે ઇઝરાયેલી રાજદ્વારીઓની સુરક્ષા અંગે ખાતરી આપી
શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસની પાસે આઈઈડી વિસ્ફોટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના ઇઝરાઇલ સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. તેમણે બ્લાસ્ટની નિંદા કરી હતી અને ખાતરી આપી હતી કે ભારત ઇઝરાઇલી રાજદ્વારીઓ અને કેમ્પસની સુરક્ષાને કોઈ આંચ નહીં આવવા દે.
Indian Prime Minister Modi noted that his country is committed to the security of our people and added that India would continue to cooperate with Israel in the fight against terrorism.
પોતાના ઇઝરાઇલી સમકક્ષ સાથે વાતચીત દરમિયાન વડા પ્રધાને કહ્યું હતું કે, દિલ્હીમાં આતંકવાદી હુમલાના ગુનેગારોને શોધવા અને સજા કરવા માટે તેના તમામ સંસાધનોનો ઉપયોગ કરશે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ બંને દેશોની તપાસ એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ પોતપોતાના દેશોમાં કોવિડ -19 સામેની લડતની પ્રગતિ અંગે પણ ચર્ચા કરી અને આ દિશામાં સહકારની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરી.
તે જ સમયે, ઇઝરાઇલી વડા પ્રધાનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોના વડા પ્રધાનો વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. ઇઝરાઇલના વડા પ્રધાને પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો, દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસની નજીકના વિસ્ફોટ બાદ ઇઝરાઇલના પ્રતિનિધિઓની સુરક્ષા માટે ભારત સરકારે લીધેલા પગલાઓની પ્રશંસા કરી હતી.
Prime Minister Netanyahu congratulated Indian Prime Minister Modi on the production of vaccines in his country and the start of the vaccines operation there. The latter congratulated Prime Minister Netanyahu on the successful vaccines operation in Israel.
અત્રે એ નોંધનીય છે કે, શુક્રવારે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક IED બ્લાસ્ટ થયો હતો, તેની તીવ્રતા ઓછી હતી અને તેમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી, પરંતુ આ વિસ્ફોટમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત અને ઇઝરાઇલ રાજદ્વારી સંબંધો શરૂ કરવાની 29મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા હતા.