ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંસદમાં વિપક્ષી પાર્ટીઓનાં હોબાળાનાં વિરોધનાં સ્વરૂપને લઇ 12 એપ્રિલનાં રોજ દિવસ ભર ઉપવાસ પર બેસશે. આ દરમ્યાન ભાજપનાં સંસદ પણ દેશનાં વિભિન્ન ભાગોમાં જઇને ઉપવાસ કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીનાં અનેક નેતા એક દિવસ પહેલા રાજઘાટ પર સાંકેતિક ઉપવાસ પર બેઠાં હતાં. એવામાં ભાજપનો આ નિર્ણય વિપક્ષી કોંગ્રેસનાં જવાબી રૂપમાં જોવાં મળી રહ્યો છે.
ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે જણાવ્યું કે ઉપવાસનો આઇડીયા પ્રધાનમંત્રી મોદીએ જ રાખ્યો હતો. એમણે જણાવ્યું કે સંસદમાં વ્યવધાનથી થયેલ નુકસાનને લઇને એમની પાર્ટી ચિંતાગ્રસ્ત છે અને એમની કોશિશ પૂરા દેશને આનાંથી અવગત કરાવવાની છે.
આ સાથે તેઓએ જણાવ્યું કે "આ જ કારણ છે કે એનડીએનાં દરેક સાંસદોએ સંસદનાં બજેટ સત્રનાં 23 દિવસોની પોતાની સેલરી છોડવાનો નિર્ણય કર્યો છે."
પ્રધાનમંત્રી નહીં લે બજેટ સત્રની સેલરીઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 માર્ચથી લઇને અત્યાર સુધી ચાલેલા બજેટ સત્રનું વેતન નહીં લે. આ રકમ અંદાજે 79 752 રૂપિયા છે. પીએમ મોદીએ આ પહેલાં ભાજપનાં સાંસદોને સંસદમાં રજૂ ગતિરોધ અને વિપક્ષનાં હોબાળાને લઇને કામ ન થવા પર વેતન છોડવાનું કહ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં એમની પાર્ટીનાં અનેક નેતાએ દેશમાં થઇ રહેલ કથિત દલિત ઉત્પીડન અને સાંપ્રદાયિકતા હિંસા સહિત વિભિન્ન મુદ્દાઓનાં વિરોધમાં સોમવારનાં રોજ ઉપવાસ પર બેઠા હતાં.
જો કે કોંગ્રેસનાં આ ઉપવાસ અનેક વિવાદોનાં કારણે ભારે ચર્ચાઓમાં રહ્યો હતો. આ દરમ્યાન રાહુલ સાથે ઉપવાસ રાખવા રાજઘાટ ગયેલ જગદીશ ટાઇટલરને ત્યાં પાર્ટીનાં નેતાઓનો જ વિરોધ સહન કરવો પડ્યો.