કોરોના સંકટ વચ્ચે મોટા કાર્યક્રમો પર રોક લગાવામાં આવી રહી છે. પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ આજે ઐતિહાસિક જગન્નાથ યાત્રા નિકાળવામાં આવી રહી છે. ઓડિશાની પુરી અને ગુજરાતના અમદાવાદમાં નિકાળવામાં આવી રહેલી યાત્રાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે ભગવાન જગન્નાથની રથ યાત્રાના પાવન અવસર પર તમે બધાને મારી હાર્દિક શુભકામના. હું શુભેચ્છા પાઠવું છું કે શ્રદ્ધા અને ભક્તિ ભરેલી આ યાત્રા દેશવાસીઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય અને આરોગ્યને લઇને આવે. જય જગન્નાથ!
भगवान जगन्नाथ की रथ यात्रा के पावन-पुनीत अवसर पर आप सभी को मेरी हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि श्रद्धा और भक्ति से भरी यह यात्रा देशवासियों के जीवन में सुख, समृद्धि, सौभाग्य और आरोग्य लेकर आए। जय जगन्नाथ!
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને રથયાત્રાને લઇને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ ટ્વિટ કરી લખ્યું કે રથ યાત્રાના પાવન અવસર પર બધા દેશવાસીઓ, વિશેષ રીતે ઓડિશામાં પ્રભુ જગન્નાથના શ્રધ્ધાલુઓને શુભેચ્છા. હું પ્રાર્થના કરુ છું કે પ્રભુ જગન્નાથની કૃપા કોવિડ-19નો સામનો કરવા માટે આપણને સાહસ તેમજ સંકલ્પ-શક્તિ પ્રદાન કરે અને આપણા જીવનમાં સ્વાસ્થ્ય અને આનદનો સંચાર કરે.
रथ यात्रा के पावन अवसर पर सभी देशवासियों, विशेष रूप से ओडिशा में प्रभु जगन्नाथ के श्रद्धालुओं को बधाई।
मैं कामना करता हूँ कि प्रभु जगन्नाथ की कृपा, कोविड-19 का सामना करने के लिये हमें साहस व संकल्प-शक्ति प्रदान करे और हमारे जीवन में स्वास्थ्य और आनंद का संचार करे।
— President of India (@rashtrapatibhvn) June 23, 2020
ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ વચ્ચે આ વર્ષે યોજાનારી રથયાત્રા પર સંકટના વાદળ હતા. પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટે એક વિશેષ સુનાવણી દરમિયાન કોર્ટે શરતોને આધીન મંજૂરી આપી હતી. આ વચ્ચે આજે સાવધાની, નિયમોના પાલન સાથે ઓછા ભક્તો સાથે પુરીમાં જગન્નાથની રથયાત્રા નિકાળવામાં આવી રહી છે.