કોરોના સંકટને લઇને શુક્રવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન આરોગ્ય સચિવે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ દરમિયાન જણાવવામાં એક કરોડ હેલ્થ વર્કર્સને પહેલા વેક્સિન આપવામાં આવશે ત્યારબાદ ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન આપવામાં આવશે તો ત્યારબાદ સીનિયર સિટીઝનને વેક્સિનનો ડોઝ આપવામાં આવનાર છે.
કોરોના વેક્સિન ટૂંક સમયમાં આવશે
સર્વદળીય બેઠકમાં PM મોદીનું નિવેદન
પહેલા હેલ્થ વર્કર્સ અને ત્યારબાદ સીનિયર સિટીઝનને અપાશે વેક્સિન
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના સંકટને લઈને સર્વપક્ષીય બેઠક મળી હતી. પીએમ મોદીએ આ મીટીંગમાં રસી વિશે એક મોટી વાત કહી અને કહ્યું કે થોડા અઠવાડિયામાં આ રસી આવે તેવી અપેક્ષા છે. પીએમ મોદીએ સંકેત પણ આપ્યો છે કે કોરોના રસી વૃદ્ધો, કોરોના વોરિયર્સને પહેલા આપવામાં આવશે.
બહું ઝડપથી રસીને લઇને આવશે સારા સમાચાર
બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આવી આઠ વેક્સિન છે, જે ટ્રાયલ પિરીયડ પર ચાલી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, એવી અપેક્ષા છે કે આગામી કેટલાક અઠવાડિયામાં, રસી વિશે સારા સમાચાર મળશે, વૈજ્ઞાનિકોની મંજૂરી મળતા જ આ મામલે કામ શરૂ થશે. ભારત એક વિશિષ્ટ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે જે દરેકને રસી પહોંચાડવાનો ટ્રેક કરશે.
વેક્સીનની કિંમત મુદ્દે પીએમ મોદીનું નિવેદન
પીએમ મોદીએ સર્વદળીય બેઠક બાદ વેક્સીન આપવાને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તે સાથે વેક્સીનન કિંમતને લઇને જણાવ્યું કે વેક્સીનની કિંમતને લઇને રાજય સરકારો સાથે વાતચીત ચાલુ છે. પીએમ મોદીએ વેક્સીનની કિંમતને લઇને કહ્યું કે લોકોને પરવડે તે રીતે ભાવ નક્કી કરાશે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં અન્ય દેશો કરતાં કોરોનાથી મૃત્યુદર ખૂબ નીચો છે. કોરોનાને લઇને ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધી ભારતે લાંબી યાત્ર કરી. કોરોના વેક્સીન પહેલા વૃદ્ધોને આપવામાં આવશે. કોરોના વેક્સિન માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ભારતની પોતાની 3 અને અન્ય દેશની 5 એમ 8 રસીઓનું ઉત્પાદન ભારતમાં થવાનું છે
ભારતમાં બનનારી સસ્તી અને સૌથી સુરક્ષિત રસી પર વિશ્વની નજર છે
હેલ્થવર્કર, ફ્રન્ટલાઈન વર્કર, ગંભીર બીમારીથી ઝુઝતા લોકોને રસી સૌથી પહેલા અપાશે
ભારતે રસીના મેનેજમેન્ટ માટે વિશેષ સોફ્ટવેર COVIN બનાવ્યું
COVIN સોફ્ટવેરમાં કોરોનાના લાભાર્થી, સ્ટોકની રીઅલ ટાઈમ માહિતી હશે
ભારતમાં રસીના રિસર્ચમાં જોડાયેલા લોકોનો વિશેષ ટાસ્ક ફોર્સ બનાવ્યો છે
રસીકરણ અભિયાનની જવાબદારી 'નેશનલ એક્સપર્ટ ગ્રુપ'ને આપવામાં આવી છે
રાષ્ટ્રીય અને સ્થાનિક જરૂરિયાત મુજબ નેશનલ એક્સપર્ટ ગ્રુપ તમામ નિર્ણયો લેશે
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક મળી
દેશમાં વકરતી કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક મળી. કોરોના પર ચર્ચા મુદ્દે આજે સર્વદળીય બેઠક મળી. આ બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં થઇ રહી છે. બેઠકમાં કોરોના વેક્સિન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
વેક્સિન બધાને ફ્રીમાં નહીં મળે
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કેન્દ્રિય મંત્રાલયે કહ્યું હતું કે, વિદેશોના મુકાબલે ભારતમાં વેક્સિન સસ્તી હશે. કહેવામાં આવ્યું છે કે, સરકાર પ્રાથમિકતા ધરાવતા સમૂહોનો જ વેક્સિનેશન ખર્ચ ઉઠાવશે. આ સાથે જ જેમની સ્થિતિ વધુ ગંભીર છે અથવા જેમનો ડેટા કોવિડ દર્દી તરીકે નોંધાયો છે તેમને વેક્સિન ફ્રીમાં અપાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રાલયે 8 રસીનો ઉલ્લેખ કર્યો જેમાંથી કેટલીય રસી ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકી છે.
કોંગ્રેસી નેતાએ આપ્યું નિવેદન
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ બેઠક બાદ કહ્યું કે કોરોના સામેની લડત યોગ્ય દિશામાં ચાલી રહી છે, દેશમાં મેડિકલ નેટવર્ક ખૂબ સારું છે. પરંતુ લડત અટકી નથી, અમે માંગ કરીએ છીએ કે સંસદનું સત્ર બોલાવવામાં આવે જેથી દરેક વિષય પર વિગતવાર ચર્ચા થઈ શકે. તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કેસોમાં ઝડપથી વધારાને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી.