પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી મોદી પઠાણકોટમાં ચૂંટણી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંતો અને ગુરૂઓને નમન કરી જૂના દિવસો તાજા કર્યા હતા.
પઠાણકોટમાં રેલી કરવા પહોંચ્યા હતા પીએમ મોદી
પંજાબના લોકોને કહ્યું અમને સેવા કરવાનો મોકો આપો
જૂનો દિવસોને પણ યાદ કર્યા
પઠાણકોટ રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે ફતેહ રેલી કરી રહ્યા છીએ. આપણાં ગુરૂઓ તથા સંતોની વાણી પર ચાલીને જ 21મી સદીનું નવું પંજાબ બનાવીશું. અમે હસતું પંજાબ બનાવીશું. પીએમ મોદીએ કહ્યું કે, લોકોનો જુસ્સો અને જોશ 20 તારીખે ભાજપ અને એનડીએની જીત પાક્કી કરશે. પીએમે લોકોને કહ્યું કે, આપના દમખમમાં મને વિજય નજર આવી રહ્યો છે.
संत रविदास जी ने कहा है- ऐसा चाहूं राज मैं, जहां मिले सबन को अन्न। छोट-बड़ो सब सम बसे, रैदास रहे प्रसन्न।।
सबका साथ-सबका विकास, के मंत्र को लेकर चल रही भाजपा सरकार भी संत रविदास जी के शब्दों से प्रेरणा लेकर आगे बढ़ती है।
આ ધરતી હરમંદિર સાહિબ અને કરતારપુરની છે.પંજાબની ધરતી પરથી તમામ ગુરૂઓને નમન કરૂ છું. પીએમ મોદીએ કહ્યું કે, આજે સંત રવિદાસજીની જયંતિ છે. અહીં આવતા પહેલા મેં દિલ્હીમાં ગુરૂ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાંથી આશીર્વાદ લઈને આવ્યો છું. પંજાબમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમના જન્મસ્થળ બનારાસ ગયા છે.
पंजाब के लोगों ने पक्का मन बना लिया है- इस बार भाजपा जैसी अनुभवी पार्टी।
देशहित में पंजाब हित में काम करने वाली पार्टी को मौका देना है।
मेरा आपसे ये वादा है- हम मजबूर नहीं, मजबूत पंजाब बनाएंगे।
બનારસના સાંસદના નાતે એ મારી જવાબદારી બને છે કે હું આપની સેવા કરૂ. આપને જરૂરી સુવિધાઓ મળે. કાશીમાં સંત રવિદાસ મંદિરમાં હાલ અમે બહું મોટુ લંગર શ્રદ્ધાળુઓને સમર્પિત કર્યું છે. પીએમ મોદીએ તમામ લોકોને સંત રવિદાસજીની જયંતિની શુભકામનાઓ આપી હતી. તેમણે વાલ્મીકી સમાજના સંતને પણ નમન કર્યા હતાં.
મફત રાશન આપાવવું તે મારી સેવા
સમગ્ર દુનિયામાં 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી છે. પણ ભાજપ સરાકરે સંત રવિદાસની ભાવનાને પ્રાથમિકતા આપી. દુનિયાના મોટા મોટા દેશોમાં ગરીબોને દરેક પ્રકારના ખાવાની મુશ્કેલીઓ આવી રહી છએ. આ મહામારી કાળમાં કરોડો ભારતવાસીઓને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. આ કામ કરવું મારા માટે પવિત્ર સેવાનું કામ છે. પંજાબમાં પણ લાખો લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગામડે ગામડે જઈને અમારી સરકારે મફત કોરોનાની રસી આપી છે. લગભગ 95 ટકા લોકોને પ્રથમ ડોઝ લાગી ચુક્યો છે. વેક્સિનથી લોકોને કોરોના વિરુદ્ધ લડવાનું કવચ મળી ગયું છે.
संत रविदास जी ने कहा है- ऐसा चाहूं राज मैं, जहां मिले सबन को अन्न। छोट-बड़ो सब सम बसे, रैदास रहे प्रसन्न।।
सबका साथ-सबका विकास, के मंत्र को लेकर चल रही भाजपा सरकार भी संत रविदास जी के शब्दों से प्रेरणा लेकर आगे बढ़ती है।
પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં પઠાણકોટની જૂની યાદોનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, તમામ જૂના લોકોના ચહેરા મારી સામે છે. સાધારણ કાર્યકર્તા તરીકે ક્યારેય ટુ વ્હીલરથી તો ક્યારેક ટ્રેનથી અહીં આવતો હતો. ક્યારેક દિલ્હીથી જમ્મી જતો હતો તો પઠાણકોટના લોકો મને જમાડતા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, માઝાની માટ્ટીએ મને માં જેવો પ્રેમ આપ્યો છે. મને અને ભાજપને જેમ બાકીના રાજ્યોએ સેવા કરવાનો મોકો આપ્યો, તેવો મને પંજાબમાં નથી મળ્યો.
जहां एक बार भाजपा के पैर जम जाते हैं, वहां दिल्ली में बैठकर रिमोट कंट्रोल से सरकार चलाने वाले परिवार की छुट्टी हो जाती है।
जहां विकास आया, वहां वंशवाद का हुआ सफाया!
जहां शांति और सुरक्षा आई, वहां तुष्टीकरण और भ्रष्टाचार की विदाई!
એમ મોદીએ કહ્યુ કે, પંજાબમાં પહેલા ભાજપ નાના પક્ષ તરીકે હાંસિયામાં ધકેલાયો હતો. પંજાબની શાંતિ અને ભલાઈને અમે પ્રાથમિકતા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ પંજાબની જનતા પાસેથી પાંચ વર્ષ સેવા કરવાનો મોકો માગ્યો. વિકાસનો સિલસિલો જ્યાં પણ ભાજપ સરકાર શરૂ કરે છે, ત્યાં જનતા પણ સાથ આપવા લાગે છે.