પીએમ મોદી મહારાષ્ટ્રના ડીંડોલીની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, હું બોલું છું તો કોંગ્રેસને કરંટ લાગે છે. વિપક્ષના લોકો પહેલા મને 50 અપશબ્દો આપતા હવે 100 અપશબ્દો આપે છે.
મુંબઇ: પીએમ મોદી મહારાષ્ટ્રના ડીંડોલીની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, હું બોલું છું તો કોંગ્રેસને કરંટ લાગે છે. વિપક્ષના લોકો પહેલા મને 50 અપશબ્દો આપતા હવે 100 અપશબ્દો આપે છે.
PM Narendra Modi addressing a public rally in Dindori, Maharashtra: Aaj har aatanki ko pata hai ki agar desh ke kisi hisse mein bomb dhamaka kiya, toh yeh Modi hai, yeh unhe pataal mein bhi khoj kar saza dega, unhein khatam karega pic.twitter.com/MaLHlFidHB
પહેલા પાકિસ્તાનના નામ પર વિપક્ષ રડતુ હતુ. આતંકીઓને પણ ખબર છે કે, કંઈ કર્યુ તો તેમના આકાઓનો ખાતમો બોલાવાશે. કોંગ્રેસ બ્લાસ્ટ બાદ માત્ર શોક મનાવતું હતુ. આતંકીઓને પણ ખબર છે કે, મોદી પાતાળમાંથી શોધીને સજા આપશે.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 22, 2019
તમારા ચોકીદારે સુરક્ષઆ નીતિ બદલી નાખી છે અને વિપક્ષ કહે છે કે, મને વિદેશ નીતિ નથી આવડતી. કોંગ્રેસ માત્ર શ્રદ્ધાંજલિ સભાઓ કરતું હતુ. હવે તો મોટા મોટા નેતાઓનું પણ બ્લડપ્રેશર વધી ગયુ છે. આતંકની ફેક્ટરીનું ઘૂસીને ખાતમો બોલાવ્યો.
23 મે બાદ ફરી એકવાર મોદી સરકાર આવશે. મોદીએ વચેટિયાઓ વિરૂદ્ધ લડાઈ લડી અને કોંગ્રેસ વચેટિયાઓ સાથે મળીને મલાઈ ખાય છે. મજબૂત સરકાર માટે મજબૂત પ્રધાનમંત્રી જોઈએ. જેના પર વિશ્વાસ હોય તેને જ દેશની કમાન આપવી જોઈએ.