પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદની મુલાકાતે છે ત્યારે એરપોર્ટ પર સ્વાગત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના સ્વાગત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારા સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર જાહેર સભાને સંબોધી હતી.
મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે PM મોદી અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જાહેર સભા યોજાઇ હતી. જેમાં ભાજપના હોદ્દેદારો અને લોકો પણ અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
એરપોર્ટ પર સંબોધન કરતા PM મોદીએ મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા તે બદલ આભાર. એક સાથે બધાના દર્શન થઇ જાય છે. ટૂંકા સમયમાં ફરીથી ગુજરાત આવવાનો મોકો મળ્યો છે. ટુંકા સમયમા ફરી ગુજરાત આવવાનો મોકો મળ્યો છે. તમને બધાને મળવાનું થાય છે તેનો આનંદ છે.
વૈશ્વિક મંચ પર વધ્યું ભારતનું કદઃ પીએમ મોદી
વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આજે ભારતની પ્રતિષ્ઠા સમગ્ર વિશ્વમાં વધી રહી છે. દેશની સ્વિકૃતિ, સમ્માન વધી રહ્યા છે. હું 2014માં પ્રથમ વખત UN ગયો ત્યારે મે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે અપીલ કરી હતી. દુનિયા ભારતને ઉત્સુક્તાથી જોઇ રહી છે. વર્ષ 2014માં આંતરરાષ્ટ્રી યોગ દિવસ મનાવવા મારી અપીલને સંયુક્ત મહાસભાએ માની લીધું. 2019માં હું UNમાં ગયો ત્યારે બદલાવ જોવા મળ્યો. દુનિયાના તમામ દેશ ભારતને સ્વીકાર કરી ચૂક્યા છે. દુનિયાનો દરેક દેશ ભારતનો સ્વિકાર કરી ચૂક્યો છે.
હાલમાં વિશ્વમાં ભારતની યોજનાઓની ચર્ચા થઇ રહી છેઃ પીએમ મોદી
દુનિયાના મનમાં એક આશા જાગી છે. પરિવર્તનની સંભાવનાઓમાં સૌથી મોટી ભાગીદારી ભારતની હશે. વિશ્વને સાથે રાખીને ચાલવાનું ભારતમાં સામર્થ. ભારત આદર્શ, વ્યવહાર અને સંસ્કૃતિના કારણે બધાને સાથે લઇને ચાલીએ છીએ. વિશ્વમાં ભારત પ્રતિ આશા જાગી છે. ભારત વિશ્વને સાથે રાખીને ચાલવાનું સમર્થ રાખે છે. ભારત વિશ્વને સાથે લઈને ચાલવાનું સામર્થ ધરાવે છે. હાલમાં વિશ્વમાં ભારતની યોજનાઓની ચર્ચા થઇ રહી છે. આયુષ્યમાન ભારત યોજના અંગે વિશ્વ અચંબિત છે.
Prime Minister Narendra Modi in Ahmedabad: Mahatma Gandhi's 150th anniversary has been marked at the United Nations with immense enthusiasm. Take any problem the world faces, the teachings of Mahatma Gandhi offer solutions to those challenges. #GandhiAt150pic.twitter.com/9Iebq3nTnd
150થી વધુ દેશોના ગાયકોએ વૈષ્ણવજન ભજન ગાયુંઃ પીએમ મોદી
વૈષ્ણવજન તેને રે કહીએ ગાવા માટે સૂચન કર્યું હતું. વિશ્વના જાણીતા સંગીતકારોએ ગુજરાતીમાં ભજન ગાયા. 150થી વધુ દેશોના ગાયકોએ વૈષ્ણવજન ભજન ગાયું. વૈષ્ણવ જન તો એને કહીએ ભજન વિશ્વના સંગીતકારોએ ગાયુ. વિશ્વના જાણીતા 150થી વધુ ગાયકોએ વૈષ્ણવ જન ભજન ગાયુ છે. આજે આ ભજન કલાકારો વાંચ્યા વિના ગાઇ શકે છે. વૈશ્વિક કલાકારો ભજનના અર્થને સારી રીતે જાણે છે. ગાંધી આજે પણ છે કાલે પણ હશે. ગાંધી આજે પણ છે અને ગાંધી કાલે પણ છે. આવતી પેઢીઓ માટે પણ ગાંધી હશે. દરેક સમસ્યાના સમાધાન માટે ગાંધીની મહેક મળે છે. UNએ ગૌરવપૂર્વક ગાંધીને અંજલી આર્પી. UN દ્વારા ગાંધીજી ઉપર વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત થઇ.