પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. સુરતમાં તેઓ બપોરે આવી પહોંચ્યા હતા અને ત્યાર બાદ સુરત ઇન્ટરનેશલ ફ્લાઈટને ફ્લૅગઓફ કર્યા બાદ ઇન્ટરનેશલ ઍરપોર્ટની ભેટ આપી હતી. ત્યાર બાદ નવસારીના દાંડી ખાતે 110 કરોડના રાષ્ટ્રીય નમક સત્યાગ્ર સ્મારકનું લોકાર્પણ કર્યુ હતું. ત્યાર પછી ફરીથી સાંજે સુરત પરત આવીને ઇન્ડોર સ્ટૅડિયમમાં ન્યૂ ઇન્ડિયા યુથ કૉન્કલેવમાં આશરે 15000 પ્રોફેશનલ્સને સંબોધન કર્યુ હતું. અહીં અમેરિકાના મેડિસન સ્ક્વૅર ગાર્ડનમાં રિવોલ્વિંગ સ્ટેજ જેવા સ્ટેજ પર પીએમ મોદીએ સંબોધન કર્યુ હતું.
પ્રધાનમંત્રી મોદીના સંબોધનની હાઈલાઈટ્સ:
આજે દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે
આજે એ લોકો જામીન પર છે
દેશમાં 4 પેઢીથી શાસન કરનારાઓના નામથી દેશ ગભરાતો હતો
PM મોદીએ આડકતરી રીતે ગાંધી પરિવાર પર કર્યા પ્રહાર
મારું જીવન ખુલ્લા પુસ્તક જેવું કોઇ ડર નહીં
હું કોઇ મોટી મોટી બેગ લઇને નથી આવ્યો કે મને ચિંતા થાય
અમારાથી મોટો દેશ અને દેશવાસીઓ
તમારા સપનાઓને આધારે સરકારની નીતિઓ બની રહી છે
દેશના લોકોએ નિર્ણય કર્યો છે કે હવે બદલીને જ રહેવું છે
દુષ્કર્મના આરોપીઓને ફાંસી આપવાનું કામ અમારી સરકારે કર્યુ
અમારી સરકારમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ જોવા નથી મળતી
પહેલાની સરકારોમાં બોમ્બ બ્લાસ્ટની જ ખબરો આવતી હતી
કાળા નાણાં સામે અમે મોટી લડાઇ લડી
જૂની અને બિમાર માનસિકતા અમે બદલી
પહેલાના જમાનામાં કૌભાંડ હેડલાઇન બનતી હવે કામ હેડલાઇન બને છે
સ્વચ્છતા જેવો વિષય દેશના લોકોએ પોતાનો બનાવ્યો
અમારા કામથી લોકોને લાગી રહ્યું છે કે બીજા પણ કામ કરી શકે છે
લોકો મને કહે છે કે તમે એટલું કામ કર્યુ કે હવે લોકો વધારે કામ ઇચ્છી રહ્યાં છે
મારો રડવા કે રડાવવામાં વિશ્વાસ નથી
સુરત વેપારીઓની ભૂમિ છે
તમારો એક વોટ મને કામ કરવા ઉર્જા પૂરી પાડે છે
તમારા એક વોટથી દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે