વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોના અખિલ ભારતીય સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે સંબોધન
કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોને સંબોધન
ભારતની અદાલત અને જુના કેસો પર કરી વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોના અખિલ ભારતીય સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સ્વસ્થ સમાજ માટે મજબૂત ન્યાય વ્યવસ્થા જરૂરી છે. પીએમ મોદીએ કાયદા મંત્રીઓ અને સચિવોને કહ્યું કે, કાયદા બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ગરીબ લોકો પણ સરળતાથી સમજી શકે.
કુરિવાજો દુર થયા છે
પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સરદાર પટેલની જનહિતની પ્રેરણા પણ આપણને સાચી દિશામાં લઈ જશે અને આપણને પણ લક્ષ્ય સુધી લઈ જશે. તેમણે કહ્યું હતું કે, ભારતનાં સમાજની વિકાસયાત્રા હજારો વર્ષથી છે. તમામ પડકારો છતાં, ભારતીય સમાજે સતત પ્રગતિ કરી છે. આપણા સમાજનું સૌથી મોટી વિશેષતા એ છે કે તે પોતાની અંદર આંતરિક સુધારાઓ કરવાનું ચાલુ રાખે છે, પ્રગતિના પથ પર આગળ વધી રહ્યું છે. આપણો સમાજ પણ અપ્રસ્તુત બની ગયેલા કાયદાઓ, કુરિવાજો, ખોટા રિવાજોને દૂર કરતો રહ્યો છે.
Addressing the inaugural session of All India Conference of Law Ministers and Secretaries. https://t.co/sWk3fhHIIm
ઘણા ગુલામીના જમાનાના કાયદાઓ બદલ્યા
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં વર્ષોથી લોક અદાલતો મારફતે લાખો કેસોનું સમાધાન થયું છે. આનાથી અદાલતોનું ભારણ પણ ઘટ્યું છે અને ગામમાં વસતા લોકો અને ખાસ કરીને ગરીબોને ન્યાય મેળવવામાં ઘણી સરળતા રહી છે. દેશની જનતાને સરકારનો ભાવ પણ ન લાગવો જોઈએ અને દેશની જનતાએ સરકારનું દબાણ પણ ન અનુભવવું જોઈએ. દેશમાં 1500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. આમાંના ઘણા કાયદા ગુલામીના સમયથી અમલમાં આવ્યા હતા.
કાયદા સહજ અને સરળ ભાષામાં લખવા જોઈએ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુવાનો માટે શૈક્ષણિક પ્રણાલી પણ માતૃભાષામાં બનાવવી પડશે, કાયદાને લગતા અભ્યાસક્રમો માતૃભાષામાં હોવા જોઈએ, આપણા કાયદા સરળ, સહજ ભાષામાં લખવા જોઈએ, હાઈકોર્ટ અને સુપ્રીમના મહત્વના કેસોની ડિજિટલ લાઈબ્રેરી હોવી જોઈએ. કોર્ટ સ્થાનિક ભાષામાં હોવી જોઈએ, આ માટે આપણે કામ કરવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે કેવી રીતે ટેકનોલોજી આજે ન્યાયિક પ્રણાલીનો એક અભિન્ન ભાગ બની ગઈ છે, તે આપણે કોરોનાના સમયગાળામાં પણ જોયું. આજે દેશમાં ઈ-કોર્ટનું મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે.