આજે સવારે 11 વાગ્યે PM મોદી કોરોના સંકટની વચ્ચે મન કી બાત કરશે. જેમાં પીએમ મોદી અનલોક 4ને લઈને પોતાની વાત લોકો સાથે શેર કરી શકે છે. કેન્દ્ર સરકારે અનલોક 4ની ગાઈડલાઈન્સમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાને મંજૂરી આપી છે અને 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં 100 લોકોને સામેલ થવાની પણ મંજૂરી આાપી છે.
PM મોદી આજે કરશે મન કી બાત
અનલોક 4ની ગાઈડલાઈનને લઈને કરી શકે છે ચર્ચા
સપ્ટેમ્બરમાં અપાઈ છે આ બાબતોને છૂટ
માનવામાં આવી રહ્યું છે કે મન કી બાતમાં PM મોદી કોરોના સંકટની વચ્ચે અનલોક 4ને લઈને પોતાની વાતને લોકો સામે રાખી શકે છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. આ સિવાય 21 સપ્ટેમ્બરથી ધાર્મિક કાર્યક્રમમાં 100 લોકોને સામેલ થવાની પરમિશન અપાઈ છે. આ તમામ છૂટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે અન્ય નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.
આ તમામ આયોજનમાં અનિવાર્ય રીતે ફેસમાસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્ક્રીનિંગ, સેનેટાઈઝર અને કોરોના પ્રોટોકોલ્સનું પાલન કરવાનું રહેશે. આજે પીએમ મોદી મન કી બાતમાં આ બાબતો પર ભાર મૂકી શકે છે.
ઉલ્લેખનીય છે કે મન કી બાતના છેલ્લા કાર્યક્રમમાં પીએમ મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેણે ભારતની ભૂમિ પર હક જમાવવાની અને આંતરિક સંઘર્ષોને હટાવવાની ભ્રામક યોજના બનાવી છે. કારગિલ યુદ્ધ સમયે સૈનિકોના શોર્યની વાતોને પણ પીએમ મોદીએ યુવાઓ સાથે શેર કરી હતી.