અનુચ્છેદ 370 હટ્યા પછી પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધન કરવાના છે ત્યારે તેમના સંબોધનને લઈને દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે. પ્રધાનમંત્રી પોતાના આ ઉદબોધનમાં શું વાત કરી શકે તે દેશવાસીઓ પણ જાણવા ઇચ્છુક છે.
જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવ્યા બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આજે સાંજે 8 વાગ્યે PM મોદીનું સંબોધન પ્રસારિત કરવામાં આવશે. કલમ 370 હટાવ્યા બાદ PM મોદીનું આ પ્રથમ સંબોધન હશે. આ સંબોધનમાં PM મોદી કાશ્મીર પર મનની વાત કરશે.
જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીર પર પોતાનો ભવિષ્યનો પ્લાન રજૂ કરી શકે છે. પીએમ મોદી જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ સરકારનો પક્ષ મુકી શકે છે. સાથે જ જમ્મૂ-કાશ્મીર મામલે કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે.
Prime Minister Shri @narendramodi will be addressing the nation at 8 PM today.
આ પૂર્વે PM મોદીએ 27 માર્ચે દેશને સંબોધન કર્યું હતું. તે સમયે ભારતે એન્ટી સેટેલાઈટ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યું હતું. પ્રધાનમંત્રી કાશ્મીર મામલે 7 ઓગસ્ટે જ સંબોધન કરવાના હતા. પરંતુ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધન બાદ સંબોધન સ્થગિત કરી દેવાયું હતું.
તેઓ સંબોધન દ્વારા કાશ્મીરવાસીઓને આશ્વાસ્ત કરી શકે છે કે સરકાર સહિત સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. પ્રધાનમંત્રી કાશ્મીરવાસીઓને અપીલ કરી શકે છે કે તેઓ આતંકવાદ મુક્ત એક સારૂ અને નવું કાશ્મીર બનાવવામાં સરકારની મદદ કરે. પીએમ નરેન્દ્ર મોદી આ સંબોધન રાત્રે 8 કલાકે કરશે. સંયોગથી પીએમ મોદીએ નોટબંધીનું એલાન પણ 8 નવેમ્બર 2016ની રાત્રે 8 કલાકે રાષ્ટ્રને સંબોધન દરમિયાન કર્યું હતું.
રાષ્ટ્રજોગ સંબોધન શું હોય?
રાષ્ટ્રજોગ સંબોધન ભારતમાં બે મોટી હસ્તી નિયમત અને જરૂર પડે ત્યારે કરે છે
પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ દેશવાસીઓને સીધા સંબોધન કરતા હોય છે
જ્યારે દેશના લોકોને મહત્વનો સંદેશ આપવાનો હોય ત્યારે આ સંબોધન થતું હોય છે
દેશના સૌથી વિશ્વસનિય માધ્યમો દ્વારા પ્રધાનમંત્રી-રાષ્ટ્રપતિ સંબોધન કરે છે
આ સંબોધન દેશના ખૂણે-ખૂણે પહોંચે એ રીતે આયોજનબદ્ધ હોય છે
દેશમાં આપદા, દેશવાસીઓએ કરેલા સારા કામ કે અગત્યની જાહેરાત માટે સંબોધન થાય છે
પ્રધાનમંત્રી મોદીનું નોટબંધી માટે કરેલું રાષ્ટ્રજોગ સંબોધન તમામ લોકોને યાદ છે
વાસ્તવમાં નોટબંધી વખતનું મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન એ પ્રતિક બની ગયું છે
15મી ઓગસ્ટે લાલકિલ્લા પરથી પ્રધાનમંત્રી જે ભાષણ કરે તે પણ રાષ્ટ્રજોગ સંબોધન છે
દેશની આગળની મોટી નીતિ કે લાંબા વિઝનને દર્શાવવા પણ રાષ્ટ્રજોગ સંબોધન થાય છે