વર્ષ 2021માં આજે પહેલી વખત પીએમ મોદી 73મી વખત દેશને રેડિયોના માધ્યમથી સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્રના એક દિવસ પહેલા જ મન કી બાતનું આયોજન કરાયું છે અને ખેડૂત આંદોલન મુદ્દે પણ પીએમ વાત કરી શકે છે.
વર્ષ 2021ની પહેલી અને 73મી વારની 'મન કી બાત'
ખેડૂત આંદોલનને લઈ બોલી શકે છે પ્રધાનમંત્રી મોદી
અગાઉના કાર્યક્રમમાં વોકલ ફોર લોકલ મુદ્દે કરી હતી ચર્ચા
પીએમ મોદી રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમમાં 'મન કી બાત' નો 73મો એપિસોડ કરશે. આ નવા વર્ષની પહેલી 'મન કી બાત' હશે. આ સાથે આવતીકાલથી બજેટ સત્ર શરૂ થવાનું હોઈ આજની 'મન કી બાત' ખાસ હોઈ શકે છે. આ સાથે પીએમ મોદી ખેડૂત આંદોલન મુદ્દે પણ કરી શકે છે ચર્ચા.
પીએમ મોદી નવા વર્ષે જ્યારે 'મન કી બાત'ની મદદથી દેશને સંબોધિત કરવાના છે ત્યારે અનેક રીતે આ કાર્યક્રમ ખાસ રહેશે. ગયા એપિસોડમાં પીએમ મોદીએ દેશવાસીઓને વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો અને ભારતીય ઉત્પાદનો વાપરવા કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આ વાતને નવા વર્ષના સંકલ્પના રૂપમાં લેવી જોઈએ.
આત્મનિર્ભર ભારતને રાખ્યું હતું ફોકસમાં
ગયા એપિસોડમાં પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનના આધારે વોકલ ફોર લોકલને દેશની જનતાને આપ્યો અને સાથે દેશની ચીજોને વાપરવાની દિશામાં આગળ વધવા કહ્યું. એવામાં દેશના ઉત્પાદનનોને વેગ મળશે તેવી પણ અપીલ કરી.
ભારતમાં બનેલા ઉત્પાદનો વેચવા પર મૂક્યો હતો ભાર
તેઓએ કહ્યું હતું કે ભારતમાં બનેલા ઉત્પાદનોની માંગ લોકો કરી રહ્યા છે. દેશવાસીઓના વિચારો બદલાઈ રહ્યા છે. એક વર્ષમાં આ પરિવર્તન સરળ નથી.