દિલ્હી: પીએમ મોદી બે દિવસ માટે જાપાનના પ્રવાસે છે ત્યારે આજે તેઓ ટોક્યોમાં ભારતીય સમુદાયનાન લોકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેઓએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું. પીએણ મોદીએ કહ્યું કે ભારત હાલ ખૂબ મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.
વિશ્વ આજે માનવતાની સેવા માટે ભારતના પ્રયાસોનું ગૌરવગાન કરી રહ્યું છે. ભારતમાં જે નીતીઓનું નિર્માણ થઈ રહ્યું છે તે જનસેવા ક્ષેત્રમાં થઈ રહેલા કામોને સન્મામ મળી રહ્યું છે. જેને લઈને વિશ્વમાં ભારતને લઈને ઉત્સુકતા છે. સાથો જ સાથ દેશમાં દુનિયામાં ભારતના ચશ્માથી જોવાનું કામ ચાલી રહ્યું છે.
Prime Minister Narendra Modi said that India is witnessing “a massive transformative phase” today
હું જાપાન ત્રીજી વાર આવ્યો છું. પીએમ શિંઝો આબે દ્વારા અપાર પ્રેમ અને સન્માન મળે છે. ભારત અને જાપાનની સંસ્કૃતિમાં અનેક સામ્યતા છે. આ સાથે જ હું આભાર વ્યક્ત કરું છું કે તેમણે મોદીનોમિક્સના વખાણ કર્યા છે. તેમની લાગણીઓનો આદર કરતા હું કહેવા માંગીશ કે મોદીનોમિક્સના સ્થળે આ ઇંન્ડોનોમિ્ક્સનું સન્માન છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે 'હું ટોક્યો પહોંચી ગયો છું. મને આશા છે કે આ યાત્રા ભારત અને જાપાનના મજબૂત સંબંધોમાં નવો અધ્યાય જોડશે' આ સાથે જ શિખર સંમેલનમાં જવા રવાના થતાં પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જાપાન ભારત દેશનો અમૂલ્ય ભાગીદાર છે.
આપને જણાવી દઇએ કે જાપાન યાત્રાએ પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ તાજેતરમાં આપેલ એક નિવેદનમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા વિશ્વાસુ મિત્રો પૈકીના એક છે. ભારત સાથેના જાપાનના સંબંધો એક ઉઁચાઈ પર પહોંચી રહ્યા છે.