રાજધાની દિલ્હીનાં તાલરકટોરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેપારીઓના સમ્મેલનને સંબોધ્યું હતું. ટ્રેડર્સ સમ્મેલનમાં પ્રધાનમંત્રી મોદીએ દેશને સોનાની ચીડિયા વેપારીઓએ બનાવ્યો હોવાના વખાણ કર્યા હતા. આ સિવાય તેમણે આગામી સમયમાં તમામ વર્ગના લોકો માટે અનેક સારી યોજનાઓની વાત કરી હતી.
રાજધાની દિલ્હીનાં તાલરકટોરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેપારીઓના સમ્મેલનને સંબોધ્યું હતું. 2014માં ચૂંટણી પહેલા મે કહ્યું હતું કે, હું આવીશ તો દરરોજનો એક કાયદો રદ કરીશ. તમને જાણીને આનંદ થશે કે 5 વર્ષમાં 1,500 કાયદાઓ રદ કર્યા છે. મારો ઇરાદો ઇઝ ઓફ લિવિંગ છે.
બિઝનેસ સમુહ સાચા હવામાન વૈજ્ઞાનિકો હોય છે, કારણ કે તેમને તમામ વસ્તુઓ એડવાન્સમાં ખબર હોય છે. અનેક વસ્તુઓ પહેલા જ તેઓ ભાખી લેતા હોય છે. વેપારીઓને કાયદાના જંગલમાંથી પસાર થવું પડે છે. મોંઘવારીની તોહમત પણ તેમના માથે જ લગાવી દેવાય છે. ટ્રેડર્સ સમ્મેલનમાં મોદીએ કોંગ્રેસ પર અનેક વાતને લઈને પ્રહાર કર્યા હતા. કોંગ્રેસનાં જમાખોરોએ વેપારીઓનો ફાયદો ઉઠાવ્યો અને મોંધવારીની તહોમત વેપારીઓ પર ઠોકી બેસાડી. અમે પાંચ વર્ષમાં વેપારમાં અનેક નિયમોમાં ઢીલ આપી છે. મોદીએ જીએસટી અંગે કહ્યું કે, જીએસટીથી વેપાર કરવો સરળ થયો. તેના કારણે રાજ્યોની આવકમાં દોઢ ઘણો વધારો થયો છે.
2014માં પણ તમે લોકોએ મને બોલાવ્યા હતા, તે સમયે હું પ્રધાનમંત્રી ન હોતો. તે સમયે સમગ્ર દેશમાંથી તમે લોકો આવ્યા હતા સંખ્યા થોડી ઓછી હતી. કારણ કે સ્વાભાવિક છે મોદીના કાર્યક્રમમાં જઇશું અને તસ્વીર આવી જશે તો ઇન્કમટેક્સની રેડ પડશે. આમ મોદીએ વેપારીઓના સંમેલનમાં અનેમ મામલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી.