બાબાના દર્શન બાદ 1.50 વાગે વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ કરશે
પીએમ મોદી કાશીમાં 30 કલાકના પ્રવાસ પર
14 ડિસેમ્બરે સીએમની સાથે સંમેલન
પીએમ મોદી 13અને 14 ડિસેમ્બરે કાશીમાં હશે. તે અહીં 30 કલાકના પ્રવાસ પર છે. 13 ડિસેમ્બરે સવારે 11 વાગે પીએમ કાશી પહોંચ્યા. યુપીના સીએમ યોગી અને રાજ્યપાલ આનંદી બેન સહિત લોકો પીએમના સ્વાગત માટે એરપોર્ટ પર પહોચ્યા. પીએમ એરપોર્ટથી સંપૂર્ણાનંદ મેદાન સુધી હેલિકોપ્ટરથી જશે. જ્યાંથી બાબા કાળ ભૈરવના દર્શન કરવા ખિડકિયા ઘાટ માટે રવાના થશે. બાબ કાલ ભૈરવના દર્શન કર્ય બાદ 1.30 વાગે ઘાટના રસ્તે કોરિડોરમાં પ્રવેશ કરશે. બાબાના દર્શન બાદ 1.50 વાગે વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ બાદ પીએમ બરેકા ગેસ્ટ હાઉસ પહોંચશે. સાંજે રો-રો બોટથી ગંગા આરતીમાં સામેલ થશે. લગભગ 5.30 વાગે નેતા આરતીમાં સામેલ થશે. બાદમાં પીએમ પાછા બરેકા જશે.
14 ડિસેમ્બરે સીએમની સાથે સંમેલન
14 ડિસેમ્બરે સવારે 9.30 ભાજપ સંગઠનના કાશી વારાણસી મહાનગર તથા જિલ્લા પદાધિકારીઓની સાથે પીએમ મોદી ઔપચારીક બેઠક કરશે. બેરકા પ્રશાસનિક ભવનમાં 10 વાગે સીએમ સાથે સંમેલન કરવામાં આવશે. આ સંમેલનમાં ચાર કલાક લાગશે. જેમાં ગુજરાત , ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના કાર્યો અને યોજનાઓનું પ્રેજન્ટેશન આપશે. તે બાદ 2.30 વાગે પીએમ સંમેલન માટે નિકળશે. પીએમ ત્રણ વાગે સ્વર્વેદ મંદિર માટે જશે. ત્યાં સંબોધન કરશે.
મંદિર બની જશે ધામ
કાશી વિશ્વનાથ કોરિડોરને લઈને ઉત્તર પ્રદેશના સીએમ યોગીનું કહેવું છે કે 1000 વર્ષ બાદ મંદિર એક ધામમાં પરિવર્તિત થઈ જશે.
ગૌરવ દિન
સીએમે ટ્વીટમાં કહ્યું કે કાલનો દિવસ ભારતીય સંસ્કૃતિ માટે અત્યંત ગૌરવપૂર્ણ હશે. વિશ્વની સૌથી જૂની નગરી, આધ્યાત્મિક ઉર્જાના અક્ષય સ્ત્રોત, બાબા વિશ્વનાથના આશીર્વાદથી પાવન થઈ મોક્ષદાયિની કાશીમાં આદરણીય પ્રધાનમંત્રી કાલે શ્રી કાશી વિશ્વનાથ ધામના નવ્ય ભવ્ય સ્વરુપનું લોકાર્પણ કરશે.
Prime Minister Narendra Modi offers prayers at Kaal Bhiarav temple on his arrival in Varanasi pic.twitter.com/3BOoIp7WxT
પીએમ મોદીના આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે જબરદસ્ત તૈયારી કરવામાં આવી છે. મીડિયાને મળતી જાણકારી અનુસાર આ કાર્યક્રમનું સીધુ પ્રસારણ કરવા માટે દૂરદર્શનના 200થી વધારે કર્મચારી વારાણસીમાં તૈનાત રહેશે. જેમાં સંવાદદાતા, કૈમેરામેન, એન્જિનિયર અને ટેક્નીશિયનનું દળ શામેલ છે. જે કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટે ઉદ્ધાટનનું આ કાર્યક્રમના ભવ્ય કરવેજ કરશે. સરકારના સૂત્રો અનુસાર પીએમ મોદીના આ કાર્યક્રમના સીધું પ્રસારણ સવારે 11 વાગ્યાથી બપોરના 3.30 વાગ્યા સુધી અને સાંજના 5 વાગ્યાથી રાતના 8.45 સુધી દૂરદર્શન અને ડીડી ઈન્ડિયા પર થશે.