પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાનનાં રસ્તેથી કિર્ગિસ્તાન નહીં જાય. વીવીઆઇપી વિમાન ઓમાન, ઇરાન અને મધ્ય એશિયાઇ દેશોથી કિર્ગિસ્તાનનાં બિશ્કેક જશે. 13-14 જૂનનાં રોજ યોજાનાર શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) સમિટમાં શામેલ થવા માટે પહોંચેલ પીએમ મોદી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક જવાનાં છે. પહેલા સમાચાર એવા હતાં કે આ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી પાકિસ્તાનનાં એરરૂટનો ઉપયોગ કરશે, જેની પરવાનગી ઇમરાન ખાન સરકારે આપી દીધી છે પરંતુ ખરા સમયે આમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો.
પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાનનાં રસ્તેથી કિર્ગિસ્તાન નહીં જાય. અધિકારિક પ્રવક્તાએ કહ્યું કે, વીવીઆઇપી વિમાન ઓમાન, ઇરાન અને મધ્ય એશિયાઇ દેશોથી કિર્ગિસ્તાનનાં બિશ્કેક જશે. પહેલા અમે વિમાનને લઇ જવા માટે બે વિકલ્પો પર વિચાર કરતા હતાં પરંતુ હવે પાકિસ્તાનનાં માર્ગેથી નહીં લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
13-14 જૂનનાં રોજ યોજાનાર શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) સમિટમાં શામેલ થવા માટે પહોંચેલ પીએમ મોદી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક જવાનાં છે. પહેલા સમાચાર એવા હતાં કે આ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી પાકિસ્તાનનાં એરરૂટનો ઉપયોગ કરશે, જેની પરવાનગી ઇમરાન ખાન સરકારે આપી દીધી છે પરંતુ ખરા સમયે આમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે.
અધિકારિક પ્રવક્તાનાં અનુસાર, હવે પીએમ મોદીનું વિમાન ઓમાન, ઇરાન અને મધ્ય એશિયાઇ દેશોથી થઇને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચશે. આ માટે તૈયારીઓ પણ સંપૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમિટમાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ શામેલ થશે.
પાકિસ્તાને ખોલ્યાં છે માત્ર 2 હવાઇમાર્ગઃ
26 ફેબ્રુઆરીનાં રોજ બાલાકોટમાં આતંકી કેમ્પો પર થયેલ એર સ્ટ્રાઇક બાદથી જ પાકિસ્તાને પોતાનાં હવાઇ માર્ગોને બંધ કરી દીધા હતાં. વીતેલા દિવસોમાં 11 હવાઇ માર્ગોમાંથી દક્ષિણી પાકિસ્તાનથી થઇને જનારા માત્ર બે માર્ગો જ ખોલવામાં આવેલ છે.
સુષ્મા માટે પાકિસ્તાને ખોલ્યું હતું હવાઇક્ષેત્રઃ
આ પહેલા 21મેનાં રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનાં બિશ્કેક જવા માટે પાકિસ્તાને પોતાનાં હવાઇ ક્ષેત્રથી ખોલ્યો હતો. સુષ્મા સ્વરાજ પણ એસસીઓ સમિટમાં ભાગ લેવા ગઇ હતી. ત્યાર બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે સુષ્માની જેમ જ પીએમ મોદી પણ પાકિસ્તાનનાં રસ્તે જ બિશ્કેક જવાના હતાં પરંતુ ખરા સમયે માર્ગ બદલવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો.